Site icon

આ ભારતીય યુગલની વાર્તા પર આધારિત છે રાનીની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’

આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રાની મુખર્જીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ચાલો તમને સાચી વાર્તા વિશે જણાવીએ.

mrs chatterjee vs norway rani mukerji film based on this indian couple know about their story

આ ભારતીય યુગલની વાર્તા પર આધારિત છે રાનીની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી તેના દમદાર અભિનય માટે જાણીતી છે. હાલમાં જ તેની નવી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેની ચર્ચા આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં, રાની એક માતાના રૂપમાં જોવા મળે છે જેના બાળકોને નોર્વે ના ચાઇલ્ડ વેલ્ફેરે આ કારણસર છીનવી લીધા છે કે તે તેના બાળકોની યોગ્ય રીતે સંભાળ રાખી શકતી નથી. ત્યારથી રાનીના સંઘર્ષની શરૂઆત અને તમામ ઉતાર-ચઢાવ ફિલ્મમાં જોવા મળે છે. આ ટ્રેલર રિલીઝ થયા બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ સત્ય ઘટના પર આધારિત વાર્તા કોની છે. ચાલો તમને જણાવીએ.

Join Our WhatsApp Community

 

આ છે વાસ્તવિક વાર્તા 

આ ફિલ્મ ભારતીય દંપતી સાગરિકા ભટ્ટાચાર્ય અને અનુજન ભટ્ટાચાર્યના જીવનની એક ઘટના ની આસપાસ વણાયેલી છે. વાર્તા વર્ષ 2011 માં શરૂ થાય છે, જ્યારે કપલ તેમના બાળકો સાથે કામ માટે નોર્વે શિફ્ટ થયું હતું. તે સમયે બંનેને બે બાળકો હતા. તેમની પુત્રી ઐશ્વર્યા એક વર્ષની હતી અને પુત્ર અભિજ્ઞાન ત્રણ વર્ષનો હતો. ત્યાં તેમના રોકાણ દરમિયાન, નોર્વે ના ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસીસ (CWS) દ્વારા દંપતીને તેમના બે બાળકોને પાલક સંભાળમાં મૂકવા દબાણ કરવામાં આવ્યું હતું. CWS અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સાગરિકાએ એક બાળકને થપ્પડ મારી હતી. આ સાથે તેના પર બાળકોને બળજબરીથી ખવડાવવા, કપડાં ન પહેરાવવા અને રમવા માટે રમકડા ન આપવાનો પણ આરોપ હતો.

 

દંપતી ને મળ્યો ન્યાય 

આ આરોપો બાદ, CWS એ તેને પાલક સંભાળ માટે મોકલવાનું નક્કી કર્યું. ઉપરાંત, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી બાળકો 18 વર્ષના ન થાય ત્યાં સુધી તેમના માતાપિતા તેમને મળી શકશે નહીં. આ નિર્ણય બાદ બાળકોની કસ્ટડીને લઈને દંપતી અને CWS વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં ભારત સરકારે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો, પરંતુ બાદમાં આ દંપતીએ એકલા હાથે આ લડાઈ લડવી પડી હતી. નવેમ્બર 2012માં સાગરિકાને મોટી સફળતા મળી. તેણીએ માનસિક પરીક્ષા પાસ કરી, ત્યારબાદ તેણીને બાળકોની કસ્ટડીની મંજૂરી આપવામાં આવી.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version