Site icon News Continuous Bureau | Mumbai

Mukesh ambani: પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા મુકેશ અંબાણી, દીકરી ઈશા ના બાળકો ને અપાવ્યા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો

Mukesh ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો રવિવારે ભગવાન ગણપતિના આશીર્વાદ લેવા મુંબઈના પ્રખ્યાત મંદિર સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પા ના આધિરવાડ લેવા પહોંચ્યા હતા .

Mukesh ambani visit siddhivinayak temple with family

Mukesh ambani visit siddhivinayak temple with family

News Continuous Bureau | Mumbai 

Mukesh ambani:દેશના સફળ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમની પત્ની નીતા અંબાણી ભગવાન ગણપતિના પરમ ભક્ત છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી એ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપ્પા ની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી. હવે, ગણપતિ ઉત્સવ દરમિયાન, મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી

Join Our WhatsApp Channel

 

મુકેશ અંબાણી અને તેમના પરિવારે કર્યા સિદ્ધિવિનાયક ના દર્શન 

મુકેશ અંબાણી અને તેમના પરિવારે રવિવારે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. પરિવાર મંદિર પરિસરમાં પ્રવેશતા અને પછી પૂજા કરતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા ના બાળકો કૃષ્ણ અને આદિયાને પૂજારીને સોંપી દીધા અને તેમને બાપ્પાના ચરણોમાં મૂકી અને તેમને આશીર્વાદ અપાવ્યા.

અગાઉ પણ સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત લઈ ચુક્યા છે મુકેશ અંબાણી 

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય. આ પરિવાર ભગવાન ગણપતિ માં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તેથી ખાસ પ્રસંગોએ મુકેશ અંબાણી બાપ્પાના આશીર્વાદ લેવા ચોક્કસ આવે છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી તેમની મોટી વહુ અને પુત્ર આકાશ સાથે સિદ્ધિવિનાયક ના મંદિરે ગણપતિ બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યા હતા 

આ  સમાચાર પણ વાંચો : Shahrukh khan-salman khan: બાપ્પા ના આશીર્વાદ લેવા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે પહોંચ્યા શાહરુખ ખાન અને સલમાન ખાન, પઠાણ અને ટાઇગર ને એક સાથે જોઈ ચાહકો થઇ ગયા ખુશ

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version