Site icon News Continuous Bureau | Mumbai

‘બડે અચ્છે લગતે હૈં 2’ ને મળ્યો નવો ‘રામ’ આ કારણ થી નકુલ મહેતા એ શો ને કહ્યું અલવિદા

નકુલ મહેતાએ 'બડે અચ્છે લગતે હૈં 2'માં રામ કપૂરના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે. જોકે, આ દરમિયાન તેણે હવે શોને અલવિદા કહેવાના સમાચારને સમર્થન આપ્યું છે. આ સમાચારે તેના ચાહકોનું દિલ તોડી નાખ્યું છે.

nakuul mehta quitting bade achhe lagte hain 2 hiten tejwani can replace him

'બડે અચ્છે લગતે હૈં 2' ને મળ્યો નવો ‘રામ’ આ કારણ થી નકુલ મહેતા એ શો ને કહ્યું અલવિદા

 News Continuous Bureau | Mumbai

 ફેમસ ટીવી એક્ટર નકુલ મહેતાએ ( nakuul mehta ) ‘બડે અચ્છે લગતે હૈં’ ( bade achhe lagte hain 2 ) શોને અલવિદા કહી દીધું છે. આ વાતની પુષ્ટિ ખુદ નકુલે કરી છે. સિરિયલ છોડવાનું કારણ જણાવતાં નકુલે કહ્યું, “શોને ઘણો પ્રેમ મળ્યો, જો કે જ્યારે અમે શરૂ કર્યો ત્યારે ઘણા લોકોને શંકા હતી કારણ કે અમે એક આઇકોનિક શો રિક્રિએટ કરી રહ્યા હતા, પરંતુ આ શોમાં જે પ્રકારનો પ્રવાસ હતો. અને જે રીતે તે લોકો સુધી પહોંચ્યું તે ખરેખર ખાસ છે.

Join Our WhatsApp Channel

નકુલે કહી આ વાત

તેણે વધુમાં ઉમેર્યું, “હું આટલા લાંબા સમયથી સર્જનાત્મક રીતે તેનો એક ભાગ રહ્યો છું. હવે તેની સ્ટોરી ઘણી ફરતી થઈ રહી છે અને મને લાગે છે કે આગળ જતાં હું તેમાં કંઈ નવું લાવી શકીશ નહીં. હું રામના પાત્રને ખૂબ જ મિસ કરીશ.”જણાવી દઈએ કે, નકુલ છેલ્લા 10 વર્ષમાં માત્ર ત્રણ-ચાર ટીવી સિરિયલોનો ભાગ રહ્યો છે. આ વિશે વાત કરતાં નકુલે કહ્યું કે એકવાર દર્શકો તમને શિવ કે રામની ભૂમિકામાં જોશે તો મને લાગે છે કે બે મહિનામાં બીજું પાત્ર ભજવવું એ લોકો સાથે અન્યાય છે. હવે હું વિશ્વસનીયતા અને સન્માન માટે કામ કરું છું. આજે, તમે ટેલિવિઝન અથવા ફિલ્મમાં સ્ટાર બની શકો છો, પરંતુ આખરે આપણે બધા દર્શકો માટે કામ કરીએ છીએ અને હું તેને હળવાશથી લેતો નથી.

આ સમાચાર પણ વાંચો:  તુનિષા સુસાઈડ કેસમાં આરોપી શીજાન ખાનના સમર્થનમાં આવી ઉર્ફી જાવેદ, કહી આટલી મોટી વાત!

આ અભિનેતા કરી શકે છે નકુલ ને રિપ્લેસ

સમાચાર અનુસાર, શોમાં ટૂંક સમયમાં થોડા વર્ષોનો લીપ આવવાનો છે. આ કારણે નકુલ મહેતાએ શો છોડવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લીપ બાદ હવે એક્ટર હિતેન તેજવાની ( hiten tejwani ) તેમની જગ્યાએ રામ કપૂરની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. બીજી તરફ, હવે નકુલના શો છોડવાના સમાચારે તેના ચાહકોને નિરાશ કર્યા છે.’બડે અચ્છે લગતે હૈં 2′ ટીવીની સુપરહિટ સિરીઝમાંથી એક છે. તેનો પહેલો ભાગ પણ દર્શકોને પસંદ આવ્યો હતો. આમાં રામ કપૂર અને સાક્ષી તંવર રામ અને પ્રિયાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે તેના બીજા ભાગમાં નકુલ અને દિશા પરમારે રામ અને પ્રિયાના પાત્રોથી ફરી બધાના દિલ જીતી લીધા છે.

Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Notice to Telegram ટેલિગ્રામની મુશ્કેલીઓ વધી પાયરેટેડ ફિલ્મો અને કન્ટેન્ટ હટાવવા સરકારનું 15 દિવસનું અલ્ટીમેટમ
Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Exit mobile version