Site icon

માતાની વિદાય માટે તૈયાર છે અનુપમા ના ત્રણેય બાળકો, સંતાનો નો પ્રેમ જોઈ ભાવુક થઇ માં; જુઓ અનુપમા નો નવો પ્રોમો

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં ટીવી સિરિયલ અનુપમામાં (Anupama) જબરદસ્ત ફિલ્મી ડ્રામા ચાલી રહ્યો છે. રૂપાલી ગાંગુલીના (Rupali Ganguli) આ શોમાં અનુપમા અને અનુજ કાપડિયા (Anuj-Anupama) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. શાહ પરિવારે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ, બા સહિત ઘરના બધા લોકો હજુ પણ અનુપમાના લગ્ન કરવાના નિર્ણયથી નારાજ છે. સમયાંતરે અનુપમા એ વાતથી પરેશાન થાય છે કે તેના પોતાના બાળકો તેની ખુશીમાં તેની સાથે નથી. પરંતુ માત્ર સમર (Samar) જ ખુલ્લેઆમ અનુપમાને સપોર્ટ કરી રહ્યો છે. હવે પાખીનું (Pakhi) હૃદય પણ અનુપમા માટે ધીમે ધીમે પીગળી રહ્યું છે. અનુપમાના લગ્નમાં કોણ હાજરી આપશે તે જાણવા માટે દર્શકો પણ આતુર છે. મેકર્સે આ સુપરહિટ સિરિયલનો ધમાકેદાર પ્રોમો પણ રિલીઝ કર્યો છે.

Join Our WhatsApp Community

સામે આવેલા પ્રોમોમાં (Promo) અનુપમા (ANupama) ભાવુક થતી જોવા મળી રહી છે. તે મનમાં વિચારી રહી છે કે માત્ર અને માત્ર સમર જ તેના લગ્નમાં સામેલ થશે. ત્યારે તે તેના બાળકો માટે નાસ્તો બનાવવાની તૈયારી કરવા જાય છે. રસોડા તરફ જતી વખતે અનુપમા ને ટેબલ પર ઘણો નાસ્તો તૈયાર જોવા મળે છે. ત્યારબાદ એક પછી એક સમર, પરિતોષ, પાખી અને પુત્રવધૂ કિંજલ ત્યાં આવે છે અને અનુપમાનો ચહેરો ખુશીથી ચમકી જાય છે.

આ સમાચાર પણ વાંચો : KGF ચેપ્ટર 2 થી ભૂલ ભૂલૈયા 2 સુધી આ ફિલ્મોની સિક્વલ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ; વાંચો પુરી લિસ્ટ

આ પ્રોમો (Promo) સામે આવતાની સાથે જ દર્શકોને તેમના ઘણા સવાલોના જવાબ મળી ગયા છે. અનુપમાને ફોલો (Anupama) કરતા દર્શકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવી રહ્યો હતો કે અનુજ અને અનુપમા લગ્ન ક્યારે કરશે? પ્રોમોમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે અનુપમાના લગ્નની ઉજવણી 4 મેથી શરૂ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા લગ્ન પહેલા કેટલા ટેસ્ટ આપશે? એ પણ જાણવું રસપ્રદ રહેશે કે અનુપમાના લગ્ન પર બાનું દિલ પીગળશે કે નહીં?

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version