Site icon News Continuous Bureau | Mumbai

માતાની વિદાય માટે તૈયાર છે અનુપમા ના ત્રણેય બાળકો, સંતાનો નો પ્રેમ જોઈ ભાવુક થઇ માં; જુઓ અનુપમા નો નવો પ્રોમો

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં ટીવી સિરિયલ અનુપમામાં (Anupama) જબરદસ્ત ફિલ્મી ડ્રામા ચાલી રહ્યો છે. રૂપાલી ગાંગુલીના (Rupali Ganguli) આ શોમાં અનુપમા અને અનુજ કાપડિયા (Anuj-Anupama) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. શાહ પરિવારે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ, બા સહિત ઘરના બધા લોકો હજુ પણ અનુપમાના લગ્ન કરવાના નિર્ણયથી નારાજ છે. સમયાંતરે અનુપમા એ વાતથી પરેશાન થાય છે કે તેના પોતાના બાળકો તેની ખુશીમાં તેની સાથે નથી. પરંતુ માત્ર સમર (Samar) જ ખુલ્લેઆમ અનુપમાને સપોર્ટ કરી રહ્યો છે. હવે પાખીનું (Pakhi) હૃદય પણ અનુપમા માટે ધીમે ધીમે પીગળી રહ્યું છે. અનુપમાના લગ્નમાં કોણ હાજરી આપશે તે જાણવા માટે દર્શકો પણ આતુર છે. મેકર્સે આ સુપરહિટ સિરિયલનો ધમાકેદાર પ્રોમો પણ રિલીઝ કર્યો છે.

Join Our WhatsApp Channel

સામે આવેલા પ્રોમોમાં (Promo) અનુપમા (ANupama) ભાવુક થતી જોવા મળી રહી છે. તે મનમાં વિચારી રહી છે કે માત્ર અને માત્ર સમર જ તેના લગ્નમાં સામેલ થશે. ત્યારે તે તેના બાળકો માટે નાસ્તો બનાવવાની તૈયારી કરવા જાય છે. રસોડા તરફ જતી વખતે અનુપમા ને ટેબલ પર ઘણો નાસ્તો તૈયાર જોવા મળે છે. ત્યારબાદ એક પછી એક સમર, પરિતોષ, પાખી અને પુત્રવધૂ કિંજલ ત્યાં આવે છે અને અનુપમાનો ચહેરો ખુશીથી ચમકી જાય છે.

આ સમાચાર પણ વાંચો : KGF ચેપ્ટર 2 થી ભૂલ ભૂલૈયા 2 સુધી આ ફિલ્મોની સિક્વલ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ; વાંચો પુરી લિસ્ટ

આ પ્રોમો (Promo) સામે આવતાની સાથે જ દર્શકોને તેમના ઘણા સવાલોના જવાબ મળી ગયા છે. અનુપમાને ફોલો (Anupama) કરતા દર્શકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવી રહ્યો હતો કે અનુજ અને અનુપમા લગ્ન ક્યારે કરશે? પ્રોમોમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે અનુપમાના લગ્નની ઉજવણી 4 મેથી શરૂ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા લગ્ન પહેલા કેટલા ટેસ્ટ આપશે? એ પણ જાણવું રસપ્રદ રહેશે કે અનુપમાના લગ્ન પર બાનું દિલ પીગળશે કે નહીં?

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version