Site icon News Continuous Bureau | Mumbai

સાયરા બાનું ગુપચુપ થઈ ગઈ, કોઈના સાથે હવે વાત જ નથી કરતી, શું થયું છે તેમને?, જાણો અહીં

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું ગયા વર્ષે નિધન થયું હતું. દિલીપ કુમારના ગયા પછી તેમની પત્ની સાયરો બાનો ખરાબ રીતે ભાંગી પડી છે. જ્યારથી દિલીપ કુમારની તબિયત બગડી હતી ત્યારથી સાયરા બાનુ તેમની સાથે રહેતી હતી અને છેલ્લા દિવસો સુધી તેમની સંભાળ રાખતી હતી. સાયરા બાનુના નજીકના લોકોએ જણાવ્યું કે દિલીપ સાહબના મૃત્યુ બાદથી તે કોઈની સાથે વાત નથી કરી રહી અને જ્યારે મિત્રોએ તેની હાલત જાણવાનો પ્રયાસ કર્યો તો કોઈ જવાબ મળ્યો નહીં. આવી સ્થિતિમાં તમામ નજીકના મિત્રોને સાયરા બાનુની ચિંતા થવા લાગી છે.

Join Our WhatsApp Channel

સાયરા બાનુ દિલીપ કુમારને ખૂબ પ્રેમ કરતી હતી. દિલીપ કુમારને મેળવવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. સાયરા એ પહેલી નજરમાં દિલીપ કુમારને દિલ આપી દીધું હતું અને તેણે 22 વર્ષની ઉંમરે 44 વર્ષના દિલીપ કુમાર સાથે લગ્ન કરી લીધા. લોકોએ તેમના સંબંધો પર સવાલો પણ ઉઠાવ્યા, પરંતુ દિલીપ સાહબ માટે સાયરા નો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં.દિલીપ કુમારના ગયા પછી સાયરા સાવ એકલી પડી ગઈ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મુમતાઝે કહ્યું હતું કે તેને ખૂબ જ ખરાબ લાગે છે કે સાયરા એકલી થઈ ગઈ છે અને કોઈને તેના વિશે કોઈ માહિતી નથી. તેણે ઘણી વખત સાયરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેના ઘરે પણ ગઈ , પરંતુ તેને મળી શકી નહીં. આ સાથે જ્યારે મુમતાઝે પાર્ટીનું આયોજન કર્યું ત્યારે સાયરાએ તેમાં ભાગ લીધો ન હતો અને ન તો તેના કોલ અને મેસેજનો કોઈ જવાબ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : પુષ્પા ભી ઝુકેગા! સુપર સ્ટાર અલ્લુ અર્જુને તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવું પડ્યું આટલા રૂપિયાનું ચલણ; જાણો વિગતે

આ સિવાય સાયરા બાનુ અને દિલીપ કુમારના નજીકના મિત્ર રહેલા ધર્મેન્દ્રએ પણ સાયરા બાનુ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેને ઘણી વખત ફોન કર્યો, પરંતુ સાયરાએ જવાબ આપ્યો નહીં. તેણે આશા વ્યક્ત કરી કે સાયરા સંપૂર્ણપણે સ્વસ્થ છે. સાયરા બાનુના આ અંતરને કારણે દરેક વ્યક્તિ ચિંતિત છે.અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ પણ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે અમે એક મહાન અભિનેતાને ગુમાવ્યો છે, પરંતુ તેણે અમને સૌથી વધુ ગુમાવ્યા છે. તેણે અને તેની પત્ની પૂનમે તાજેતરમાં સાયરા બાનુની તબિયત વિશે પૂછવા માટે મેસેજ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે તેને ખબર પડે કે જ્યારે પણ તેને  મારી અને મારી  પત્નીની જરૂર પડશે ત્યારે હું તેની સાથે ઊભા રહીશું.

Hanuman Ansh 2 ખતમ નથી થઈ ‘હનુમાન અંશ’ ની કહાની, જલદી આવશે પાર્ટ ૨, ફિલ્મના નિર્માતાઓ ક્યારે શરૂ કરશે કામ?
Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ૩૫ સેકન્ડનો આ સીન હટાવાયો અને અપશબ્દો મ્યુટ કરાયા
Bollywood Actor ચાલવુંબોલવું પણ થઈ ગયું મુશ્કેલ; બ્રેઈન સ્ટ્રોક બાદ બદલાઈ ગયો આ બોલિવૂડ અભિનેતાનો આખો જીવનકાળ, રોજ લેવી પડે છે ૮ દવાઓ
Ramayana ‘રામાયણમાં રણબીર કપૂરનો સસરા બનશે આ દિગ્ગજ અભિનેતા, ભજવશે રાજા જનકનું પાત્ર
Exit mobile version