Site icon

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા…’માં દયાબેનની વાપસી પર આવ્યા મોટા અપડેટ, જાણો નિર્માતાએ શું કહ્યું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફ દયાબેનનું પાત્ર આજકાલ એક બહુચર્ચિત વિષય છે. દયાબેન ના ચાહકો પણ તેમની શો માં પરત આવવાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.  શોના નિર્માતા અસિત મોદીએ પણ આ અંગે ઘણી વાર જવાબ આપ્યા છે. પરંતુ, તેમણે ક્યારેય જણાવ્યું ન હતું કે દયાબેન ક્યારે પાછા આવશે. 

તાજેતરમાં, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમે હજી પણ તેના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરશે તો શો નવા દયાબેન સાથે આગળ વધશે. પરંતુ મને લાગે છે કે દયાની વાપસી અથવા પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ રોગચાળાના સમયમાં ઘણાં ગંભીર મુદ્દાઓ છે અને મને લાગે છે કે તે તમામ મેટર રાહ જોઇ શકે છે. 

શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ ભલામણ

વધુમાં નિર્માતાએ કહ્યું કે અમે સેફ્ટી પ્રોટોકોલ સાથે શૂટિંગ ચાલુ રાખવા વિશે વિચારી રહ્યા છીએ જેથી લોકોની આજીવિકાને અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પણ ખૂબ અસરકારક છે અને જો અમને આ માટે પરવાનગી મળશે, તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.

આપને જણાવી દઈએ કે અભિનેત્રી દિશા 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યારબાદ તે શોમાં પરત  ફરી ન હતી. એકવાર માત્ર એક એપિસોડમાં જોવા મળી હતી.

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version