Site icon News Continuous Bureau | Mumbai

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા…’માં દયાબેનની વાપસી પર આવ્યા મોટા અપડેટ, જાણો નિર્માતાએ શું કહ્યું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફ દયાબેનનું પાત્ર આજકાલ એક બહુચર્ચિત વિષય છે. દયાબેન ના ચાહકો પણ તેમની શો માં પરત આવવાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.  શોના નિર્માતા અસિત મોદીએ પણ આ અંગે ઘણી વાર જવાબ આપ્યા છે. પરંતુ, તેમણે ક્યારેય જણાવ્યું ન હતું કે દયાબેન ક્યારે પાછા આવશે. 

તાજેતરમાં, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમે હજી પણ તેના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરશે તો શો નવા દયાબેન સાથે આગળ વધશે. પરંતુ મને લાગે છે કે દયાની વાપસી અથવા પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ રોગચાળાના સમયમાં ઘણાં ગંભીર મુદ્દાઓ છે અને મને લાગે છે કે તે તમામ મેટર રાહ જોઇ શકે છે. 

શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ ભલામણ

વધુમાં નિર્માતાએ કહ્યું કે અમે સેફ્ટી પ્રોટોકોલ સાથે શૂટિંગ ચાલુ રાખવા વિશે વિચારી રહ્યા છીએ જેથી લોકોની આજીવિકાને અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પણ ખૂબ અસરકારક છે અને જો અમને આ માટે પરવાનગી મળશે, તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.

આપને જણાવી દઈએ કે અભિનેત્રી દિશા 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યારબાદ તે શોમાં પરત  ફરી ન હતી. એકવાર માત્ર એક એપિસોડમાં જોવા મળી હતી.

Dhurandhar 2 Uncut Version।ફિલ્મ ‘ધુરંધર ૨’ ના વિવાદિત સીન્સ પર કાતર ફરી? કટ અને સેન્સરશિપને લઈને સામે આવ્યા મોટા સમાચાર!
Yash Toxic Movie Update। ‘ટોક્સિક’ના રિશૂટની અફવાઓ પર મેકાર્સે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ!
Alpha Teaser Review। ‘આલ્ફા’માં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોઈ બિગ બી થયા ગદગદ, વખાણ કરતા કહી આ મોટી વાત!
Janhvi Kapoor Horror Film। ગ્લેમર બાદ હવે રૂવાડાં ઊભા કરશે જ્હાનવી કપૂર, નવી હોરર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી!
Exit mobile version