Site icon

નસીરુદ્દીન શાહે ઈતિહાસ પર ઉઠાવ્યો સવાલ – કહ્યું કે અકબર વિશે જે શીખવવામાં આવે છે તે એકદમ “બકવાસ” છે.

'તાજ ડિવાઈડ બાય બ્લડ'માં રાજા અકબરનો રોલ કરનાર અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં, તેમણે દાવો કર્યો છે કે ઇતિહાસે અકબર વિશે ખોટું લખ્યું છે.

naseeruddin shah raising questions on history said this nonsense thing spread about akbar

નસીરુદ્દીન શાહે ઈતિહાસ પર ઉઠાવ્યો સવાલ - કહ્યું કે અકબર વિશે જે શીખવવામાં આવે છે તે એકદમ "બકવાસ" છે.

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દિગ્ગજ કલાકાર નસીરુદ્દીન શાહ આ દિવસોમાં તેમની વેબ સિરીઝ ‘તાજ ડિવાઈડે બાય બ્લડ’ ના કારણે ચર્ચામાં છે. ZEE5ની આ શ્રેણીમાં, અભિનેતા બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, અભિનેતાએ પ્રમોશન દરમિયાન અકબર વિશે શીખવવામાં આવતા ખોટા તથ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. અભિનેતાએ કહ્યું કે તેને 60ના દાયકામાં શીખવવામાં આવ્યું હતું કે અકબર હંમેશા નવો ધર્મ બનાવવા માંગતો હતો. પણ આ બધી વાતો ખોટી હતી. આવો જાણીએ અભિનેતાએ બીજું શું કહ્યું…

Join Our WhatsApp Community

 

અકબરે ક્યારેય આ શબ્દનો ઉપયોગ કર્યો નથી

નસીરુદ્દીન શાહે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે. નસીરુદ્દીન શાહે કહ્યું, “મેં કેટલાક સત્તાવાર ઇતિહાસકારોને આ વિશે પૂછ્યું. તેઓએ કહ્યું કે અકબરે ક્યારેય કોઈ નવો ધર્મ શરૂ કરવાનો પ્રયાસ કર્યો નથી. પુસ્તકોમાં લખેલું છે કે અકબર હંમેશા ‘દિન-એ ઈલાહી’ કહેતા હતા. પરંતુ, અકબરે ક્યારેય ‘દિન-એ-ઇલાહી’ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. તેણે તેને ‘વહદત-એ-ઇલાહી’ કહ્યો, જેનો અર્થ થાય છે ‘સર્જકની એકતા’. તે માનતા હતા કે, તમે કોની પૂજા કરો છો, તમે કયા સ્વરૂપમાં ભગવાનની પૂજા કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે સર્જનહારની પૂજા કરો છો જેણે તમને બનાવ્યા છે. તમે પથ્થરની પૂજા કરી શકો છો, તમે કાબા સમક્ષ તમારું માથું નમાવી શકો છો, તમે ઉગતા સૂર્યની પૂજા કરી શકો છો અને તમને જે જોઈએ તે કરી શકો છો. પરંતુ તમે ફક્ત એક જ વસ્તુની પૂજા કરી શકો છો. એવી તેમની માન્યતા હતી. આ મને જાણવા મળ્યું છે.

 

કોણે કરી છેડતી?

નસીરુદ્દીન શાહે વધુમાં કહ્યું, “શું તમે જાણો છો કે ‘દિન-એ-ઈલાહી’ શબ્દ કેવી રીતે બન્યો? અબુલ ફઝલ એક ઇતિહાસકાર હતો. તેને અકબર પસંદ ન હતો તેથી તેણે ‘વહદત-એ-ઈલાહી’ ને અંગ્રેજીમાં ‘દૈવી શક્તિ’ તરીકે લખી અને પછી જ્યારે ડિવાઈન પાવરનું ફારસીમાં ભાષાંતર થયું ત્યારે તેને ‘દિન-એ-ઈલાહી’ તરીકે લખવામાં આવ્યું. ત્યારથી માત્ર ‘દિન-એ-ઈલાહી’ જ શીખવવામાં આવતું હતું. 

Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Love and War Budget: ‘લવ એન્ડ વોર’ ના બજેટનો અસલી આંકડો સામે આવ્યો: ૪૨૫ કરોડ નહીં પણ આટલા બજેટમાં બની રહી છે રણબીર-આલિયાની ફિલ્મ; ભણસાલીએ કરી ભવ્ય તૈયારી
Laalo Krishna Sada Sahaayate OTT Release: ૧૦૦ કરોડની કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ હવે OTT પર: જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે આ માસ્ટરપીસ.
Exit mobile version