Site icon

‘ધ કપિલ શર્મા શો’ માં નહિ પરંતુ આ કોમેડી શો માં થઇ શકે છે નવજોત સિંહ સિદ્ધુ ની વાપસી! જાણો વિગત

News Continuous Bureau | Mumbai

નવજોત સિંહ સિદ્ધુ લાંબા સમયથી ટેલિવિઝન શોમાંથી ગાયબ છે. તે આ દિવસોમાં રાજકારણની દુનિયામાં સંપૂર્ણ રીતે સક્રિય છે. જો કે હવે એવા અહેવાલો છે કે સિદ્ધુ ફરી એકવાર વાપસી કરી શકે છે, જોકે આ વખતે તે કપિલ શર્મા શોમાં નહીં પરંતુ નવા શોમાં જજ તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ 'ધ કપિલ શર્મા શો'ની સીઝન ઓફ-એર થવા જઈ રહી છે અને આ શો જતાની સાથે જ બીજો કોમેડી શો ઑન-એર થવા જઈ રહ્યો છે.'ધ કપિલ શર્મા શો' ઓફ એર હોવાના સમાચાર બાદ સોનીએ તાજેતરમાં નવો કોમેડી શો 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવા શોનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. જે બાદ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે નવજોત સિંહ સિદ્ધુ આ શોનો ભાગ બની શકે છે.

Join Our WhatsApp Community

ઘણા ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછ્યું કે શું કપિલનો શો ઓફ એર થશે. કેટલાક અનુમાન લગાવી રહ્યા હતા કે નવજોત સિંહ સિદ્ધુ આ શો સાથે પુનરાગમન કરશે. એક યુઝરે કોમેન્ટ કરી, "મને લાગ્યું કે કપિલ પાસે કોમેડી સર્કસની કોઈ સીઝન નથી. બીજાએ લખ્યું, 'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' શો પાછો આવ્યો છે. સિદ્ધુ પાજી પરત ફરી રહ્યા છે." એક યુઝરે એવું અનુમાન પણ કર્યું કે, "એટલે કે હવે કપિલની દુકાન બંધ થઈ જશે."

આ સમાચાર પણ વાંચો : અનુપમા-અનુજના લગ્ન પહેલા વનરાજને લાગવાનો છે મોટો ઝટકો, શાહ પરિવાર ને પોતાના ઈશારાઓ પર નચાવશે રાખી દવે; જાણો અનુપમા માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે

એક મીડિયા હાઉસ ના નજીકના સ્ત્રોતે અગાઉ જણાવ્યું હતું કે ધ કપિલ શર્મા શો  અચાનક બંધ થશે નહીં. ટીમે એપિસોડ્સની શ્રેણી બનાવી છે, જે પ્રસારિત થશે જ્યારે કપિલ તેની ટીમ સાથે તેમની કોમેડી ટૂર માટે યુએસ જશે. સ્ત્રોતે એમ પણ ઉમેર્યું હતું કે, "અમે એપિસોડ્સની બેંક બનાવવા પર કામ કરી રહ્યા છીએ, જે જૂનમાં પ્રસારિત થશે જ્યારે કલાકારો એક મહિના માટે પ્રવાસ પર જશે. તે સમયે શોમાં થોડો વિરામ લાગી શકે છે, કારણ કે કપિલ  સીઝન વચ્ચે બ્રેક લેવાનું પસંદ કરે છે.

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version