Site icon

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલા ઋષિ-નીતુ નું રિસેપ્શન કાર્ડ થયું વાયરલ, કાર્ડ માં છુપાયેલી છે આ ખાસ વાત; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડનું પાવર કપલ કહેવાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા આ દિવસોમાં જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ 17 એપ્રિલે ચેમ્બુરના આરકે હાઉસમાં સાત ફેરા લેશે. રણબીર-આલિયાના લગ્નના મહેમાનો, લગ્નની વિધિ અને વેડિંગ વેન્યુ સતત સમાચારોમાં રહે છે. આ અહેવાલો વચ્ચે દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નનું રિસેપ્શન કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કપલના લગ્નને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નનું રિસેપ્શન કાર્ડ સામે આવ્યા બાદ એક ખાસ વાત સમજાઈ હતી.અહેવાલો અનુસાર, રણબીર અને આલિયા 17 એપ્રિલે ચેમ્બુરના આરકે હાઉસમાં લગ્ન કરશે. અહીં ઋષિ કપૂરે નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. રિસેપ્શન કાર્ડમાં લોગો દેખાય છે, જેમાં RK લખેલું છે. કદાચ આ જ કારણ છે કે રણબીર કપૂરે અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી પણ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, લગ્નમાં શાહરૂખ ખાન, વરુણ ધવન, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.

આ સમાચાર પણ વાંચો :ઓસ્કાર બાદ ગ્રેમી એવોર્ડ્સ 2022માં પણ લતા મંગેશકર અને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપવામાં ના આવતા ભારતીય ચાહકો થયા નારાજ, સોશિયલ મીડિયા પર આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

રણબીર-આલિયાના લગ્નના ફંક્શન 13 થી 17 એપ્રિલ સુધી યોજાશે. આ દિવસોમાં સંગીત, મહેંદી અને લગ્ન થશે. લગ્નમાં આલિયા ભટ્ટ બોલિવૂડના લોકપ્રિય ડિઝાઈનર સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેરશે. હાલમાં, ચાહકો કપલના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version