Site icon News Continuous Bureau | Mumbai

ઋષિ કપૂરના નિધન બાદ નીતુ કપૂરની થઈ હતી આવી હાલત, અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો

News Continuous Bureau | Mumbai

ઋષિ કપૂરના નિધનના (Rishi Kapoor death)બે વર્ષ બાદ નીતુ કપૂર ફરીથી મોટા પડદા પર આવવા જઈ રહી છે. અભિનેત્રીની ફિલ્મ 'જુગ જુગ જિયો' (Jug jug jiyo) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તે પહેલા અભિનેત્રી સતત ફિલ્મનું પ્રમોશન (film promotion) કરી રહી છે.પ્રમોશન દરમિયાન અભિનેત્રી ઋષિ કપૂરને પણ સતત યાદ કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતુએ જણાવ્યું હતું કે ઋષિ કપૂરના મૃત્યુ પછી તે એટલી ભાંગી પડી હતી કે તેણે મનોચિકિત્સકની (psychiatrist)સલાહ પણ લેવી પડી હતી.

Join Our WhatsApp Channel

તાજેતર માં આપેલા ઈન્ટરવ્યુમાં નીતુએ કહ્યું, 'મને છોડીને (Rishi Kapoor death)જવું તેના માટે સૌથી મુશ્કેલ હતું. એક માણસ જે આખી જીંદગી તમારી સાથે હોય… તેના સિવાય તમારી પાસે કોઈ જીવન નહોતું. તેનો ખોરાક, તેની સાથે બેસવું, તેની સાથે મુસાફરી કરવી, અમારા બાળકોની સંભાળ રાખવી, બધું તેના વિશે હતું. પણ તેના ગયા ના  થોડા મહિના પછી, મેં વિચાર્યું, 'હવે હું શું કરી રહી છું? બસ જીવન સાથે આગળ વધો.'તે ખૂબ મુશ્કેલ હતું. હું એકલી  આ બધામાંથી પસાર થઈ રહી હતી. મેં તેને મારા મિત્રો, મારા બાળકો (Ranbir and Riddhima) અથવા મારા પરિવારને આના પર આવવા દીધી. એક દિવસ હું સવારે ઉઠી અને વિચાર્યું કે મારે મજબૂત બનીને જીવનમાં આગળ વધવું છે. જીવનના ઉતાર-ચઢાવ તમને મજબૂત બનાવે છે. જ્યારે તમે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે તમને ખરાબ લાગે છે, પરંતુ ભગવાન તમને મજબૂત બનાવે છે.’

આ સમાચાર પણ વાંચો: અનુજ ની પત્ની બની અનુપમા, શાહ પરિવારે કરી દુલ્હન ને વિદાય ,અનુજે અનુ ને આપી સૌથી મોટી સરપ્રાઈઝ; જાણો અનુપમા ના આગળ ના એપિસોડ વિશે

'જ્યારે મારા પતિ  મને છોડી ને (Rishi Kapoor death)જતા રહ્યા, ત્યારે મારે મનોચિકિત્સક( psychiatrist) પાસે જવું પડ્યું. હું ડૉક્ટરની (psychiatrist)સલાહ લેતી હતી. પછી મેં કહ્યું, 'ડોક્ટર જે કહે છે તેના કરતાં હું વધુ મજબૂત છું. કારણ કે ડૉક્ટર મને તે જ કહે છે જે હું પહેલેથી જાણું છું. પછી મેં ડૉક્ટરની સલાહ લેવાનું બંધ કર્યું અને જાતે જ તેનો સામનો કર્યો. તમને જણાવી દઇએ કે, હાલમાંજ ઋષિ અને નીતુ કપૂર ના પુત્ર રણબીર કપૂર (Ranbir-Alia wedding) ના લગ્ન થયા હતા આ લગ્ન સમારોહ માં ઋષિ કપૂર ની તસ્વીર બધા ફંકશન માં હાજર હતી. 

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version