Site icon

Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ

Kurukshetra: મહાભારતના યુદ્ધને આધુનિક એનિમેટેડ ફોર્મેટમાં રજૂ કરતી ‘કુરુક્ષેત્ર’ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

Netflix’s Animated Mahabharat Series ‘Kurukshetra’ to Premiere on October 10

Netflix’s Animated Mahabharat Series ‘Kurukshetra’ to Premiere on October 10

News Continuous Bureau | Mumbai

Kurukshetra: ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’  હવે એક નવા રૂપમાં જોવા મળશે. નેટફ્લિક્સ પર 10 ઓક્ટોબરથી ‘કુરુક્ષેત્ર’  નામની નવી એનિમેટેડ સિરીઝ રિલીઝ થવાની છે. આ સિરીઝ 18 મુખ્ય યોદ્ધાઓના દૃષ્ટિકોણથી મહાભારતના યુદ્ધને રજૂ કરશે. આ શો બે ભાગમાં આવશે, દરેક ભાગમાં 9 એપિસોડ હશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ

‘કુરુક્ષેત્ર’માં ધર્મ અને અધર્મ વચ્ચે મહાયુદ્ધ

આ સિરીઝમાં શ્રીકૃષ્ણ, અર્જુન, ભીષ્મ, કર્ણ, દ્રૌપદી જેવા પાત્રોનું વિશિષ્ટ દૃષ્ટિકોણથી ચિત્રણ કરવામાં આવ્યું છે. શોનું નિર્માણ ટિપિંગ પોઈન્ટ પ્રોડક્શન દ્વારા થયું છે અને અનુ સિક્કા દ્વારા conceptualise કરવામાં આવ્યું છે. શોનું દિગ્દર્શન ઉજાન ગાંગુલી  દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ગીતો માટે ગુલઝાર  જોડાયા છે. નેટફ્લિક્સ ના સિરીઝ હેડ તાન્યા બામી મુજબ, “મહાભારત માત્ર એક મહાકાવ્ય નથી, તે આપણા જીવનના નિર્ણયો અને દૂધારુ મૂલ્યોનું પ્રતિબિંબ છે.” ‘કુરુક્ષેત્ર’ એ નવી પેઢીને આ ટાઈમલેસ વારસો સાથે જોડવાનો પ્રયાસ છે.


નેટફ્લિક્સ એ સોશિયલ મીડિયા પર શો નો પ્રોમો શેર કર્યો છે, જેમાં લખ્યું છે: “શંખનાદ સાથે આરંભ થશે ધર્મ અને અધર્મ નું મહાયુદ્ધ.” આ પોસ્ટમાં શ્રીકૃષ્ણ સહિત પાંડવો અને કૌરવોના પાત્રો જોવા મળ્યા છે. ફેન્સે પ્રોમો જોઈને શો માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. શો હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version