Site icon News Continuous Bureau | Mumbai

શાહ પરિવાર પર તૂટી પડશે દુ:ખનો પહાડ-અકસ્માતમાં મૃત્યુ બાદ શોને અલવિદા કહેશે અનુપમા નું આ મુખ્ય પાત્ર

News Continuous Bureau | Mumbai

કિંજલ બેબીનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહના(Nidhi Shah) ચાહકો માટે ખરાબ સમાચાર છે. નિધિ શાહ ટીવી સિરિયલ અનુપમાને અલવિદા (Nidhi shah quit Anupama)કહી શકે છે. આ માટે મેકર્સે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે નિધિ શાહ શરૂઆતથી જ અનુપમા સાથે જોડાયેલી હતી. છેલ્લા બે વર્ષથી ચાહકો તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુપમામાં કિંજલનું મૃત્યુ (Kinjal death)થશે. નિર્માતાઓએ કિંજલનો ડેથ ટ્રેક પણ તૈયાર કર્યો છે. અનુપમાના આગામી એપિસોડમાં કિંજલની કારનો અકસ્માત(accident) થશે. અકસ્માત નજીવો હશે પરંતુ ડોકટરો સ્પષ્ટ કહેશે કે માતા કે બાળકમાંથી કોઈ એકને જ બચાવી શકાય છે. આવી સ્થિતિમાં સ્થિતિ ખૂબ જ નાજુક બની જશે અને એક વ્યક્તિના મૃત્યુને કારણે શોમાં ઘણો તણાવ રહેશે.હવે તે વ્યક્તિ કિંજલ નું આવનારું બાળક હશે કે કિંજલ પોતે એ તો સિરિયલ ના નિર્માતા રાજન શાહી (Rajan Shahi)જ જણાવી શકશે. જો કે આ યોજના હજુ પ્રારંભિક તબક્કામાં છે.આપણે  આશા રાખીએ છીએ કે કિંજલ સ્વાસ્થ્યના આ ભય માંથી બચી જાય!! 

આ સમાચાર પણ વાંચો : શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે પોતાના નિવેદનમાં કર્યો ખુલાસો-જણાવ્યું કેવી રીતે તેના શરીરમાં આવ્યું ડ્રગ્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિધિ શાહ અને ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એક્ટર મોહસિન ખાન(Mohsin Khan) એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. તેની હજુ પુષ્ટિ થઈ નથી. નિધિ શાહ એ ટીવી સિરિયલ ‘તુ આશિકી’ થી તેની કારકિર્દીની શરૂઆત કરી (acting carrier)હતી. તેને સિરિયલ 'જાના ના દિલ સે દૂર'થી ઓળખ મળી હતી. અનુપમા પહેલા, તે સીરીયલ ‘કવચ’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય નિધિએ ‘તુ આશિકી’ માં જન્નત ઝુબેરની બહેનની ભૂમિકા ભજવી હતી. ટીવી સિવાય નિધિ શાહે ફિલ્મોમાં(film) પણ કામ કર્યું છે. વર્ષ 2013માં નિધિ શાહે રિયા ચક્રવર્તીની ફિલ્મ 'મેરે ડૅડ કી મારુતિ'થી બોલિવૂડમાં ડેબ્યૂ(bollywood debut) કર્યું હતું. આ પછી તે શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં જોવા મળી હતી.

Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Aamir Khan Threat સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી; જાણો કારણ
Exit mobile version