Site icon News Continuous Bureau | Mumbai

Nitin Desai : આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ પર હતું 180 કરોડનું દેવું, શું આ કારણોસર કરી હતી આત્મહત્યા?

Nitin Desai : પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈ ની આત્મહત્યાના સમાચાર સામે આવતા જ સિનેમા જગતમાં શાંતિ છવાઈ ગઈ છે. નીતિન ની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી ગણાવી હતી. પરંતુ હવે નવી માહિતીમાં જાણવા મળ્યું છે કે નીતિન પર 180 કરોડ રૂપિયાની લોન પણ હતી.

nitin desai took loan of 180 crore from a finance company

nitin desai took loan of 180 crore from a finance company

News Continuous Bureau | Mumbai

Nitin Desai : હિન્દી ફિલ્મોના સેટ પર પોતાની કળાનો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા(suicide) કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે બુધવારે સવારે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમના મૃત્યુથી ચાહકો અને સેલેબ્સની આંખો ભીની થઈ ગઈ. હવે નીતિનના મોતને લઈને એક મોટી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે નીતિન પર કરોડોનું દેવું હતું.

Join Our WhatsApp Channel

નીતિન દેસાઈ એ લીધી હતી લોન

કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેથી જ તેમણે મોતને ગળે લગાવી હતી. હવે તેમની આત્મહત્યા અંગે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નવી માહિતી અનુસાર, આર્ટ ડિરેક્ટર(Art director) નીતિન દેસાઈએ નાણાકીય સંસ્થા CFM પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2016 અને 2018માં લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ લોન માટે નીતિન દેસાઈએ કુલ 42 એકર જમીન ગીરવે મૂકી હતી. CFAM કંપની એ લોન વસૂલવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહી. ત્યારપછી, CFM એ તેના તમામ લોન ખાતાની વસૂલાતનું કામ એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શનને સોંપ્યું. એડલવાઈસ કંપનીના અનેક પ્રયાસો છતાં લોનની વસૂલાત થઈ શકી નથી. છેવટે, કંપનીએ મિલકત જપ્ત કરી અને મોર્ગેજ કરેલી જમીન પાછી મેળવવા માટે સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પરવાનગી માંગી. આ દરખાસ્ત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આપવામાં આવી હતી, જે હજુ યથાવત છે. એડલવાઈસ કંપનીએ NCTL કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. એનસીટીએલ કોર્ટમાં દેવાની વસૂલાતના સંદર્ભમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લોન રિકવરીની પ્રક્રિયા કોર્ટે સ્વીકારી છે. ઓર્ડર 25મી જુલાઈએ આવ્યો. એડલવાઈસ દ્વારા કલેક્ટરને જમીન જપ્ત કરવા માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Tomato Prices: ટામેટાએ તો સફરજનની સાઈડ કાપી, ભાવ સાંભળીને તમે પણ તોબા પોકારી જશો.. વાંચો ટમેટાના હાલ નવા ભાવો અહીંયા..

નીતિન દેસાઈ નો ડ્રિમ પ્રોજેક્ટ હતો એન ડી સ્ટુડિયો

FWICE પ્રમુખ BN તિવારીએ નીતિન દેસાઈની આત્મહત્યા અંગે મહત્વપૂર્ણ માહિતી મીડિયા સાથે શેર કરી છે. તેણે કહ્યું- લગભગ ત્રણ મહિના પહેલા મેં નીતિન સાથે છેલ્લી વખત વાત કરી હતી. તેના સ્ટુડિયોમાં લગભગ 150 લોકો કામ કરતા હતા. તેમણે કર્મચારીઓને માસિક પેમેન્ટ પર રાખ્યા હતા. જ્યારે અમે મળ્યા ત્યારે ખબર પડી કે તેના પર મોટો ખર્ચ થયો છે. અગાઉ પણ તેમને બેંક તરફથી ઘણી સમસ્યાઓ આવી હતી. તેમણે એનડી સ્ટુડિયોની સ્થાપનામાં ઘણા પૈસા લગાવ્યા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમનો સ્ટુડિયો ચાલતો ન હતો. કોવિડથી તે સતત ખોટમાં હતો. આટલી મોટી પ્રોપર્ટી, જ્યાં 10-15 સ્ટેજ હોય ​​ત્યાં એક-બે શૂટિંગ નહીં ચાલે.એનડી સ્ટુડિયો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમનું આયોજન પણ અદ્યતન સ્તરે હતું. જો કે તેણે આ માટે ઘણો ખર્ચ કર્યો હતો, જેનું વળતર શક્ય નહોતું. કેટલાક સમયથી ત્યાં માત્ર સલમાન ખાનની ફિલ્મોનું જ શૂટિંગ થતું હતું. કર્જત થોડું દૂર હતું. આવી સ્થિતિમાં ઘણા પ્રોડક્શન હાઉસ ત્યાં જવા માંગતા ન હતા.

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version