Site icon News Continuous Bureau | Mumbai

BMC ના બેવડા ધોરણો, કંગના રનૌતના બંગલા પર તોડક કાર્યવાહી કરી પરંતુ મનીષ મલ્હોત્રા પર દેખાડી દયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 સપ્ટેમ્બર 2020 

બૃહન્મબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંદ્રાની પાલી હિલ પર અભિનેત્રી કંગના રનૌતના બંગલા પર તોડક કાર્યવાહી કર્યાના એક અઠવાડિયા પછી પાડોશી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના બંગલાનું નિરીક્ષણ કર્યાના કથિત માળખાકીય ઉલ્લંઘનને લઈને, નાગરિક સંસ્થાએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે બદલાવ સાથે સંબંધિત નોટિસ તૈયાર કરી છે, પરંતુ હજુ સુધી તેને નોટિસ ફટકારી નથી

નાગરિક સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બરના રોજ, નિરીક્ષણ દરમિયાન, બીએમસી ટીમને મલ્હોત્રાના બંગલામાં ઓછામાં ઓછા ચાર ગેરકાયદે બાંધકામો મળી આવ્યા હતા. આ દરમિયાન, કંગના રનૌતને 8 સપ્ટેમ્બરના રોજ ગેરકાયદે બાંધકામને પગલે નોટિસ ફટકારવામાં આવી હતી, અને પછીના બીજા જ દિવસે, કથિત ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.  

મલ્હોત્રાના કેસમાં, BMC એ કહ્યું કે તેણે 7 સપ્ટેમ્બરના રોજ નોટિસ તૈયાર કરી હતી, પરંતુ તેને મોકલી નથી. નોંધનીય છે કે એચ વેસ્ટ વોર્ડના એન્ટી એન્ક્રોચમેન્ટ મેન્ટલ વિંગ દ્વારા 7 સપ્ટેમ્બરના જનરેટ કરાયેલી નોટિસની એક નકલમાં પ્રથમ માળ પર ઉપયોગમાં ફેરફાર, ગેરકાયદેસર ઉમેરો અને પહેલા માળે કચેરીમાં ફેરફાર અને બીજા માળે ગેરકાયદે બાંધકામો જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એમએમસી એક્ટની કલમ 351 હેઠળ તૈયાર કરવામાં આવેલી નોટિસ અનુસાર, મલ્હોત્રાને સાત દિવસની અંદર જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. એચ.વેસ્ટ (બાંદરા) વોર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, “અમે મલ્હોત્રાને નોટિસ ફટકારી નથી. કંગના રનૌત કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પછી જ હવે આગળની કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.” સાથે તેમણે એમ કહ્યું હતું કે મનીષ મલ્હોત્રાના બંગલાનો એક ભાગ રનૌતના બંગલા સાથે જોડાયેલો છે અને આ મામલો ન્યાયિક હોવાથી કોઈ કાર્યવાહી શરૂ કરી શકાતી નથી.

આ દરમિયાન ભાજપના એક નેતાએ આ મામલે તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે “હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બીએમસીએ કંગના વિરુદ્ધ દોષરહિત કાર્યવાહી કરી છે. જો સિસ્ટમમાં કોઈ નોટિસ જનરેટ કરવામાં આવી હતી, તો તે કેમ જારી કરવામાં આવી નથી? "

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version