Site icon

Nupur Alankar: નુપુર અલંકારે પરિવાર અને કરિયર છોડી સંન્યાસી જીવન અપનાવ્યું, જાણો શું છે તેની પાછળ નું કારણ

Nupur Alankar: 27 વર્ષ સુધી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ નુપુર અલંકારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો

Nupur Alankar Leaves Career and Family to Embrace Spiritual Life

Nupur Alankar Leaves Career and Family to Embrace Spiritual Life

News Continuous Bureau | Mumbai 

Nupur Alankar: ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નુપુર અલંકાર હવે સંન્યાસી બની ગઈ છે. 27 વર્ષ સુધી એક્ટિંગ ક્ષેત્રમાં કામ કર્યા બાદ તેણે આધ્યાત્મિક જીવન અપનાવવાનો નિર્ણય લીધો. નુપુર કહે છે કે તેની માતાના અવસાન બાદ જીવનની સચ્ચાઈ સામે આવી અને તેણે ભગવાનની શરણમાં જવાનું પસંદ કર્યું. હવે નુપુર ભિક્ષા માગીને જીવન ગુજારે છે અને આ જ તેને આંતરિક શાંતિ આપે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sharvari Wagh and Ahaan Pandey: ‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ હવે એક્શન-રોમાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે, આ દિગ્દર્શક 9 વર્ષ બાદ YRF સાથે કરશે કમબેક

માતાના અવસાન બાદ બદલાયો જીવનનો દૃષ્ટિકોણ

નુપુર અલંકારના જીવનમાં મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે તેની માતા બીમાર પડી અને PMC બેંકના મુદ્દા બાદ તેને પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો. માતાના ઈલાજ માટે પૈસા માંગવા પડ્યા, જે પછી તેણે જીવનની અસલ પરિસ્થિતિઓને સમજવાનું શરૂ કર્યું. માતાના અવસાન બાદ તેને લાગ્યું કે હવે કોઈ બાંધછોડ નથી અને તે ભગવાનની શરણમાં જઈ શકે છે.નુપુર કહે છે કે સંન્યાસી બનવાનો નિર્ણય તેના માટે મુશ્કેલ નહોતો. તે પહેલાથી જ આધ્યાત્મિક પ્રેક્ટિસ કરતી હતી. એક્ટિંગ ક્ષેત્રમાં આ વિષય પર વાત કરવી મુશ્કેલ હતી, પણ અંદરથી તે જાણતી હતી કે આ માર્ગ જ સાચો છે. તેણે પોતાના નજીકના લોકો પાસેથી સંમતિ મેળવી અને સંન્યાસી જીવન અપનાવ્યું.


ગ્લેમર દુનિયામાં જીવતી નુપુર હવે ભિક્ષા માગીને જીવન જીવે છે. તે કહે છે કે આ જ જીવન તેને શાંતિ આપે છે. એક્ટિંગ, પ્રસિદ્ધિ અને લાઈમલાઈટથી દૂર રહીને તે હવે આધ્યાત્મિક જીવન જીવી રહી છે. તે કહે છે કે “હું ભગવાનને જવાબ આપી શકું એવું જીવન જીવવું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ
Thama new song: ‘થામા’ના નવા ગીતમાં નોરા ફતેહીનો ધમાકેદાર ડાન્સ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ
Deepika Padukone: દીપિકા પાદુકોણ હિજાબ લુક પર થઇ ટ્રોલ,લોકો બોલ્યા – ‘ભારતને એટલી સારી રીતે પ્રમોટ કરત તો સારું લાગત’
Soha Ali Khan: અમૃતા સિંહ સાથેના સંબંધ પર સોહા અલી ખાને કર્યો ખુલાસો, એક્સ ભાભી વિશે કહી આવી વાત
Exit mobile version