Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોનની ઈફેક્ટ : વિક્કી – કેટરિનાના લગ્ન માં મહેમાનો સંદર્ભે આ નિર્ણય લેવાયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા. પરંતુ ઓમિક્રોનના કારણ ેસરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે.  કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત એવી છે કે, તેઓ પોતાના લગ્નના મહેમાનોની સંખ્યા ઓછી કરી રહ્યા છે. જાેકે વિક્કી કૌશલની બહેન ડો. પાસના વોહરાએ જણાવ્યુ હતુ કે, કેટરિના અને વિક્કીના લગ્ન એ એક માત્ર અફવા જ છે, તેઓ લગ્ન નથી કરી રહ્યા. રિપોર્ટને સાચો માનીએ તો આ યુગલ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના ફેરા લેવાનું છે. તેમણે પોતાના લગ્નમાં આમંત્રિતોની એક યાદી તૈયાર કરી હતી. પરંતુ હવે ફરી આ યાદી પર ફેરવિચારણા થઇ રહી છે. વાત એમ બની છે કે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન લોકોને સપાટામાં લઇ રહ્યો છે. તેથી સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી હોવાથી આમંત્રિતોની સંખ્યા ઘટાડવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
 

Join Our WhatsApp Channel

ચા કરતા કીટલી ગરમ : સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો. સારાએ આ પગલું લીધું.

 

Ayesha Khan Released Police Detention NEET આંદોલનમાં હાઇવોલ્ટેજ ડ્રામા દાદરમાં અટકાયત બાદ અભિનેત્રી આયેશા ખાનને મુક્ત કરતી મુંબઈ પોલીસ!
Ranbir Kapoor Ramayana Trailer રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, ફેન્સની આતુરતાનો આવશે અંત
Nita Ambani Gift Karishma Tanna નીતા અંબાણીનો રોયલ અંદાજ! ગર્ભવતી કરિશ્મા તન્ના માટે જામનગરથી મોકલ્યા ખાસ કેસર આંબા, હાથથી લખેલો નોટ વાયરલ!
Harshad Chopda Shivangi Joshi Reaction શિલ્પા શિંદેની ‘લવ બર્ડ્સ’ કમેન્ટ પર હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી થયા ગુસ્સે, આપ્યો આકરો જવાબ
Exit mobile version