Site icon News Continuous Bureau | Mumbai

70 ના દાયકા ના આ મ્યુઝિક કમ્પોઝરે ક્યારેય પોતાના ગીતો માટે લતા મંગેશકરના અવાજનો નહોતો કર્યો ઉપયોગ-જાણો શું હતું કારણ

News Continuous Bureau | Mumbai

50 થી 70 ના દાયકામાં કોઈ પણ ફિલ્મી ગીત લતા મંગેશકર ગાયા વિના પૂર્ણ નથી. દિવંગત ગાયિકા લતા મંગેશકર દરેક મ્યુઝિક ડિરેક્ટરની પહેલી પસંદ હતી, પરંતુ તે દિવસોમાં એક એવા મ્યુઝિક કમ્પોઝર હતા જેમણે પોતાના સંગીત માટે લતા મંગેશકરના અવાજનો ઉપયોગ કર્યો નથી. તે સંગીત નિર્દેશક હતા ઓ પી નય્યર. ઓ પી નૈય્યરનો જન્મ વર્ષ 1926માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. ઓ પી નય્યર 50 અને 60 ના દાયકામાં સંગીત બનાવવા માટે સૌથી વધુ ચાર્જ લેતા સંગીતકાર હતા. 'એક પરદેશી મેરા દિલ લે ગયા', 'આઓ હુઝૂર તુમકો', 'આયે મહેરબાન' જેવા ગીતો માટે સંગીત આપનાર ઓ પી નય્યરની કારકિર્દી ખૂબ જ પડકારજનક હતી.

Join Our WhatsApp Channel

જ્યારે પણ લતા મંગેશકર અથવા ઓ.પી. નૈય્યરને પૂછવામાં આવતું કે શું તમારા બંને વચ્ચે કોઈ લડાઈ છે, તો બંને આ વાતને નકારી કાઢતા હતા, પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો ઓ.પી. નૈય્યરની વિરુદ્ધ થઈ ગયા હતા કારણ કે ઘણી ફિલ્મોમાં અન્ય મ્યુઝિક કમ્પોઝરને બદલીને મ્યુઝિક કમ્પોઝર તરીકે ઓ.પી. નય્યરને પસંદ કરવામાં આવતા હતા.ત્યારે તેમની વિરુદ્ધ લતા મંગેશકર પણ ઊભા હતા.મધ્યપ્રદેશમાં લતા મંગેશકરના નામનો એવોર્ડ જે સંગીત સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવે છે તેવા 1990ના દાયકામાં જ્યારે ઓપી નૈય્યરને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમણે આ એવોર્ડ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેણે લતાજી પાસે કોઈ ગીત ગવડાવ્યું નથી તો તે આ એવોર્ડ કેવી રીતે લઈ શકે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તે એક સંગીતકાર છે અને તે ગાયકના નામનો એવોર્ડ કેવી રીતે લઈ શકે. તે દરમિયાન ઓ પી નય્યરની આર્થિક સ્થિતિ સારી ન હતી. તમને જણાવી દઈએ કે આ એવોર્ડની સાથે ઓ પી નૈય્યરને 1 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : જયા બચ્ચને આ સુપરસ્ટાર સાથે ક્યારેક પત્ની તો ક્યારેક દીકરીનો કર્યો છે રોલ- જાણો તે અભિનેતા અને તે ફિલ્મો વિશે

લતા મંગેશકર પાસે ગીત ન ગવડાવીને, ઓ પી નય્યરે તેમની નાની બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેને તક આપી. ઓ પી નય્યરનું સંગીત આશા ભોંસલેના અવાજ સાથે મેળ ખાતું હતું. આશા ભોંસલેએ ઓ પી નૈય્યર માટે ઘણા ગીતો ગાયા છે. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા પણ વધી હતી. જ્યારે લતા મંગેશકરને આશાજી અને નાયર સાહેબ વિશે ખબર પડી ત્યારે તેમને આ વાત બિલકુલ પસંદ ન આવી. ઓ.પી. નૈય્યર ની બાયોગ્રાફી  મુજબ, જ્યારે પણ ઓ.પી. નૈય્યર આશા ભોંસલેને રાત્રે તેમના ઘરની બહાર ઉતારતા હતા, જેઓ જાણીજોઈને જોરથી બ્રેક મારતા હતા જેથી લતા મંગેશકરની ઊંઘમાં ખલેલ પહોંચે.

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version