Site icon News Continuous Bureau | Mumbai

 Pankaj Udhas :  મશહૂર ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ..  

  Pankaj Udhas : પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે મુંબઈમાં 72 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉધાસના પરિવારજનોએ ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી.

Pankaj Udhas Pankaj Udhas, famous ghazal and playback singer, dies due to prolonged illness at 72

Pankaj Udhas Pankaj Udhas, famous ghazal and playback singer, dies due to prolonged illness at 72

News Continuous Bureau | Mumbai 

Pankaj Udhas : મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. પોસ્ટમાં તેમણે લખ્યું – ખૂબ જ દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

Join Our WhatsApp Channel

જણાવી દઈએ કે વર્ષ 2006 માં સરકાર તરફથી તેમને પદ્મશ્રી મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Surat: સુરતની આ યુનિવર્સીટીના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી કરાઈ એનાયત..

ગુજરાતના જેતપુરમાં થયો હતો જન્મ 

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેમણે 1980માં ‘આહત’ નામનું ગઝલ આલ્બમ બહાર પાડીને કારકિર્દીની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં, તે ભારતમાં ગઝલ સંગીતનો પર્યાય બની ગયો. બોલિવૂડમાં, ગઝલ ગાયકે સંજય દત્તની ફિલ્મ ‘નામ’ માટે લોકપ્રિય ગીત ‘ચિઠ્ઠી આયી હૈ’ ગાયું હતું. આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું અને બધાને રડાવ્યા.

પંકજે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા આલ્બમ્સ બહાર પાડ્યા છે અને ઘણા લાઇવ કોન્સર્ટનું આયોજન કર્યું છે, જેણે તેની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. પંકજ ઉધાસને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Akshaye Khanna Mahakali Movie ફિલ્મ ‘મહાકાલી’માં ‘શુક્રાચાર્ય’ના રોલમાં નજર આવશે અક્ષય ખન્ના, આ તારીખે જોવા મળી શકે છે પહેલી ઝલક
Exit mobile version