Site icon

The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા

The Taj Story: 31 ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ 'ધ તાજ સ્ટોરી'ના પોસ્ટર બાદ વિવાદ ઊભો થયો, એક્ટરે ટ્વીટ કરીને કરી સ્પષ્ટતા

Paresh Rawal clarifies controversy around 'The Taj Story'

Paresh Rawal clarifies controversy around 'The Taj Story'

News Continuous Bureau | Mumbai

The Taj Story: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ ની આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ (The Taj Story) હાલમાં ચર્ચામાં છે. તાજમહલ ના ઇતિહાસને લઈને ફિલ્મના પોસ્ટર બાદ વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ ફિલ્મને ‘પ્રોપેગાંડા’ કહીને ટિપ્પણી કરી હતી. જોકે, પરેશ રાવલ અને ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક દાવા કરતી નથી અને માત્ર ઐતિહાસિક તથ્યો પર આધારિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને હરાવી 9 મી વાર જીત્યો એશિયા કપ, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે આ રીતે કરી ઉજવણી

ફિલ્મના પોસ્ટરથી ઊભો થયો વિવાદ

ફિલ્મના પોસ્ટરમાં પરેશ રાવલ તાજમહલના ગુંબજને ઉંચકતા જોવા મળે છે અને અંદર ભગવાન શિવ ની મૂર્તિ દેખાય છે. આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે ફિલ્મ તાજમહલને ‘તેજો મહાલય’ તરીકે રજૂ કરે છે. જોકે, નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક દાવા કરતી નથી અને માત્ર ઇતિહાસના અજાણ્યા પાસાઓને રજૂ કરે છે. પરેશ રાવલએ પોતાના X (Twitter) હેન્ડલ પર લખ્યું: “Disclaimer: ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મના નિર્માતાઓ સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક મુદ્દાઓ સાથે સંબંધિત નથી. ન તો આ ફિલ્મ દાવો કરે છે કે તાજમહલના અંદર શિવ મંદિર છે. આ ફિલ્મ માત્ર ઐતિહાસિક તથ્યો પર કેન્દ્રિત છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે ફિલ્મ જુઓ અને પછી તમારી રાય બનાવો.”


‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મમાં પરેશ રાવલ ઉપરાંત જાકિર હુસેન, અમૃતા ખાનવિલકર, સ્નેહા વાઘ અને નમિત દાસ  જેવા કલાકારો છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક તુષાર અમ્રિશ ગોયલ છે. આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો
Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Exit mobile version