Site icon

પ્રિયંકા ચોપરાએ 100 કરોડ ની આ ફિલ્મ કરવાની પાડી ના!! શું નવજાત પુત્રી છે કારણ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર

બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેઓએ સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. આટલું જ નહીં, ઘણા આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે દંપતીએ લગભગ 12 અઠવાડિયા પહેલા એક બાળકી નું સ્વાગત કર્યું છે.પ્રિયંકા અને નિકના ફેન્સ હજુ પણ બંનેને માતા-પિતા બનવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી છે કે પ્રિયંકાના માતા બનવાથી તેના કામ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી પોતાનો હાથ પાછો ખેંચી શકે છે.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 'જી લે ઝરા'ના મેકર્સ આ સમયે ચોક્કસપણે ચિંતિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીને તેના સ્થાને અન્ય અભિનેત્રીને સાઇન કરવાનો વિકલ્પ આપ્યો છે.તમને જણાવી દઈએ કે, પ્રિયંકાને 'જી લે ઝારા' માં કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે રોડ-ટ્રિપ/હોલિડે ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. એક ન્યૂઝ પોર્ટલ ના એક સૂત્રએ જણાવ્યું કે માતા બન્યા બાદ પ્રિયંકા ચોપરા પોતાનો બધો સમય  તેના નવજાત બાળક ને આપવા માંગે છે. આવી સ્થિતિમાં 'જી લે ઝરા'ના નિર્માતાઓ પાસે પ્રિયંકાને બદલે અન્ય અભિનેત્રીને કાસ્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આવનારા સમયમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે મેકર્સ પ્રિયંકાની જગ્યાએ કઈ હિરોઈનને સાઈન કરે છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ફરહાન અખ્તરની ધ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી.

Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Love and War Budget: ‘લવ એન્ડ વોર’ ના બજેટનો અસલી આંકડો સામે આવ્યો: ૪૨૫ કરોડ નહીં પણ આટલા બજેટમાં બની રહી છે રણબીર-આલિયાની ફિલ્મ; ભણસાલીએ કરી ભવ્ય તૈયારી
Laalo Krishna Sada Sahaayate OTT Release: ૧૦૦ કરોડની કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ હવે OTT પર: જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે આ માસ્ટરપીસ.
Exit mobile version