Site icon

નાકની સર્જરી વખતે પ્રિયંકા ચોપરા સાથે થયો હતો અકસ્માત, બદલાઈ ગયો ચહેરો,ડિપ્રેશન માંથી બહાર નીકળવા પિતાએ કરી આ રીતે મદદ

પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે નાકની સર્જરી ખોટી થઈ અને ત્રણ ફિલ્મો ગુમાવ્યા પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ

priyanka chopra was in depression after nose surgery face looked different father helped actress

નાકની સર્જરી વખતે પ્રિયંકા ચોપરા સાથે થયો હતો અકસ્માત, બદલાઈ ગયો ચહેરો,ડિપ્રેશન માંથી બહાર નીકળવા પિતાએ કરી આ રીતે મદદ

News Continuous Bureau | Mumbai

ગ્લોબલ સ્ટાર બની ગયેલી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સતત લાઈમલાઈટ એકઠી કરી રહી છે. અભિનેત્રીની હોલીવુડ શ્રેણી ‘સિટાડેલ’ 28 એપ્રિલે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. સિટાડેલ માં તેના દમદાર અભિનય માટે અભિનેત્રીના વખાણ થઈ રહ્યા છે. સિરીઝના પ્રમોશન માટે પ્રિયંકાએ ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની નાકની સર્જરી અને ડિપ્રેશન વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Community

 

 નાક ની સર્જરી ને કારણે ડિપ્રેશન માં આવી હતી  પ્રિયંકા ચોપરા  

પ્રિયંકા એ કહ્યું કે, એક સર્જરીને કારણે તેણે ત્રણ મોટી ફિલ્મો ગુમાવવી પડી, જેના કારણે અભિનેત્રી ડિપ્રેશનમાં આવી ગઈ. એક મીડિયા ઓર્ગેનાઈઝેશન સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે નાકમાં કોઈ સમસ્યા થવા લાગી હતી , ત્યારબાદ તેણે ડોક્ટરને બતાવ્યું અને ખબર પડી કે નાકની અંદરની પેશીઓ વધી ગઈ છે અને સર્જરી કરવી પડશે.અભિનેત્રીએ ખુલાસો કર્યો કે સર્જરી કરવામાં આવી હતી પરંતુ કંઈક ખોટું થયું હતું અને તેના નાકનોબ્રિજ શેપ આપવામાં આવ્યો હતો. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે આ પછી તેનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો અને પછી તેને ત્રણ ફિલ્મોમાંથી પણ પડતી મૂકવામાં આવી હતી. પ્રિયંકા એ વધુમાં કહ્યું કે ફિલ્મોમાંથી બહાર થયા પછી, તેણીને લાગ્યું કે તેની કારકિર્દી શરૂ થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે.આ કારણે પ્રિયંકા ખૂબ જ પરેશાન હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી.

 

પ્રિયંકા ચોપરા ના પિતાએ પ્રોત્સાહન અને ટેકો આપ્યો 

પ્રિયંકાએ કહ્યું, પરંતુ તેના સ્વર્ગસ્થ પિતા અશોક ચોપરાએ તેને આ સ્થિતિમાંથી બહાર કાઢવામાં ઘણી મદદ કરી. અભિનેત્રીએ કહ્યું, ‘આ બધું થયું, મારો ચહેરો બદલાઈ ગયો અને હું ખૂબ જ ઊંડા ડિપ્રેશનમાં ગઈ. ત્રણ ફિલ્મોમાંથી પડતી મૂકી, હું ડરી ગઈ હતી પણ મારા પપ્પાએ કહ્યું, ‘હું તારી સાથે એ રૂમમાં રહીશ.’પ્રિયંકા ચોપરાએ તેની સફળતાનો શ્રેય બોલિવૂડ દિગ્દર્શક અનિલ શર્માને આપતાં કહ્યું કે તે એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી પરંતુ તેને સહાયક ભૂમિકામાં શિફ્ટ કરવામાં આવી હતી. ફિલ્મમેકર અનિલ શર્મા ખૂબ સારા છે, જ્યારે આખી દુનિયા તેમની વિરુદ્ધ હતી ત્યારે તેઓ સાથે હતા.તેણે અભિનેત્રીને કહ્યું કે આ એક નાનો રોલ છે, પરંતુ તમે તમારું શ્રેષ્ઠ આપો. પ્રિયંકાએ આગળ કહ્યું, ‘તેણે ફિલ્મમેકરની વાત માની અને તે જ કર્યું અને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીની તાજેતરની વેબ સિરીઝ ‘સિટાડેલ’ OTT પર ધૂમ મચાવી રહી છે.

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ.
Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?
The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Exit mobile version