Ramayan: ફરી એકવાર રામ ભક્તિ માં લીન થવા થઇ જાઓ તૈયાર, વધુ એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે રામાયણ, જાણો ક્યાં જોઈ શકશો રામાનંદ સાગર ની ધારાવાહિક

Ramayan: રામાયણ નું નામ લેતા રામાનંદ સાગર ની રામાયણ યાદ આવે છે. હવે રામાયણ ના ચાહકો માટે સારા સમાચાર છે. અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા ની રામાયણ ફરી એકવાર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.

ramanand sagar ramayan is again starting on doordarshan

ramanand sagar ramayan is again starting on doordarshan

News Continuous Bureau | Mumbai 

Ramayan: વર્ષ 1987 માં આવેલી રામાનંદ સાગર ની રામાયણ આજે પણ દર્શકો માં પ્રિય છે. રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગર ની રામાયણ યાદ આવે છે. આ શો ના તમામ પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તે પછી અરુણ ગોવિલ હોય દીપિકા ચીખલીયા હોય કે દારા સિંહ હોય આજે ય લોકો તેમને રામાયણ માં તેમના પાત્ર થી જ ઓળખે છે. હવે રામાયણ ના ચાહકો માટે સા સમાચાર છે. રામાયણ ફરી એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ

 

રામાયણ થશે ટીવી પર ટેલિકાસ્ટ 

દૂરદર્શન પર રામાયણ ફરી એક વખત ટેલિકાસ્ટ થવાની છે. આ વાત ની માહિતી દૂરદર્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે. ચેનલે આ વાત ની સત્તાવાર રીતે જાહેરાત કરતા લખ્યું,’ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, જલ્દી જ જુઓ # DDNational પર .


આ પોસ્ટ બાદ ચાહકો માં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા માં અરુણ ગોવિલ, માતા સીતા ની ભૂમિકા માં દીપિકા ચીખલીયા, લક્ષ્મણ ની ભૂમિકામાં સુનિલ લહરી, હનુમાન ના રોલ માં દારા સિંહ અને રાવણ ના રોલ માં અરવિંદ ત્રિવેદી જેવા મહાન કલાકારો જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version