Site icon News Continuous Bureau | Mumbai

Ramayan sunil lahri: અયોધ્યા રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા માં ‘રામાયણ’ ના ‘લક્ષ્મણ’ ને નથી મળ્યું આમંત્રણ, આના પર અભિનેતા સુનિલ લહરી એ આપી પોતાની પ્રતિક્રિયા

Ramayan sunil lahri: આવતા મહિના અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ થવાનો છે. આ સમારોહ માં રામાનંદ સાગર ની રામાયણ ના કલાકાર અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા કે જેમને સિરિયલ માં ભગવાન શ્રી રામ અને માતા સીતાની ભૂમિકા ભજવી હતી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ સિરિયલ માં લક્ષ્મણ નું પાત્ર ભજવનાર અભિનેતા સુનિલ લહરી ને આમંત્રણ આપવામાં નથી આવ્યું.

ramayan fame sunil lahri reacts on to not being invited to ayodhya ram temple inauguration

ramayan fame sunil lahri reacts on to not being invited to ayodhya ram temple inauguration

News Continuous Bureau | Mumbai

Ramayan sunil lahri: રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગરનો પોપ્યુલર શો રામાયણ યાદ આવે છે. આ શોમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સને દર્શકો વાસ્તવિક જીવનમાં પણ ભગવાન માને છે. આવતા મહિને અયોધ્યા રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે. આ સમારોહમાં રામાયણ ના રામ એટલે કે અરુણ ગોવિલ અને સીતા માતા એટલેકે દીપિકા ચીખલિયાને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી ને આમંત્રણ મળ્યું ન હતું. હવે આમંત્રણ ન મળવા પર સુનિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter song: ફિલ્મ ફાઈટર નું પહેલી ગીત ‘શેર ખુલ ગયે’ થયું રિલીઝ,રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી ડાન્સ ફ્લોર પર આગ,જુઓ વિડીયો

સુનિલ લહરી એ આપી પ્રતિક્રિયા 

સુનીલ લહરી એ  તાજેતરમાં મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટેનું આમંત્રણ મળ્યું નથી.સુનિલે એમ પણ કહ્યું કે એ જરૂરી નથી કે દર વખતે તમને બોલાવવામાં આવે, પણ એવું થાય તો સારું. આનાથી હું બહુ નિરાશ નથી થયો. સુનિલે વધુ માં જણાવ્યું કે, ‘કદાચ કાર્યક્રમના આયોજકોને લાગતું હશે કે લક્ષ્મણ એટલે કે મારું પાત્ર એટલું મહત્વનું નથી. તેથી જ તેમને આમંત્રણ આપ્યું નથી, અથવા કદાચ તે મને વ્યક્તિગત રીતે પસંદ નહીં કરતા હોય.’

Anupam Kher 555th Movie બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે 42 વર્ષની કારકિર્દીમાં 555મી ફિલ્મ સાઇન કરી, ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ માં થશે મન્દિરા એટલે કે અચિંત કૌરની ધમાકેદાર વાપસી, જાણો શું હશે નવો ટ્વિસ્ટ
Four Rivers Six Ranges Movie ચીનનો પર્દાફાશ કરતી ફિલ્મ ‘ફોર રિવર્સ, સિક્સ રેન્જીસ’ નેપાળમાં ગુપ્ત રીતે શૂટ કરાઈ, હવે ભારતમાં થશે રિલીઝ
Daayra Trailer Out કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’ નું શાનદાર ટ્રેલર રિલીઝ, મેઘના ગુલઝારે કરી છે ડિરેક્ટ
Exit mobile version