Site icon News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર ‘રામ’ તો ‘સીતા’ બનશે આલિયા ભટ્ટ, સાઉથનો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા!

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નિતેશ તિવારીની રામાયણમાં રામ-સીતાની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, રાવણના રોલ માટે સાઉથનો એક સુપરસ્ટાર ચર્ચામાં છે.

ranbir kapoor alia bhatt and yash play lead role in nitesh tiwari ramayan as per reports

રણબીર કપૂર 'રામ' તો ‘સીતા’ બનશે આલિયા ભટ્ટ, સાઉથનો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા!

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષની ચર્ચા છે, જેમાં પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ દરમિયાન નિતેશ તિવારીની રામાયણ સમાચારમાં આવી છે. અહેવાલ છે કે નિતેશ તિવારી અને મધુ મન્ટેનાની આગામી ફિલ્મ રામાયણ માટે પણ લીડ સ્ટાર્સના નામ પર મહોર લગાવવામાં આવી છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિતેશ તિવારી અને મધુ મન્ટેનાની મહત્વાકાંક્ષી ફિલ્મ રામાયણ પર બ્રેક નથી લાગી. તેના બદલે તે સંપૂર્ણ રીતે ટ્રેક પર છે. જેમાં સુપરસ્ટાર યશની સાથે બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટની પણ એન્ટ્રી થઈ છે.

Join Our WhatsApp Channel

 

રામ-સીતાના રોલમાં રણબીર-આલિયા

નિતેશ તિવારીની રામાયણ ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ડિસેમ્બર 2023થી શરૂ થશે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નામની પુષ્ટિ કરવામાં આવી છે. એક ન્યુઝ પોર્ટલે  સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે ‘રણબીર કપૂર છેલ્લા કેટલાક અઠવાડિયાથી DNEG ઓફિસમાં જોવા મળી રહ્યો છે. તે અહીં રામાયણની પ્રક્રિયા જોવા આવ્યો હતો. ફિલ્મ હાલમાં પ્રી-વિઝ્યુલાઇઝેશન સ્ટેજમાં છે. ફિલ્મની ટીમ હાલમાં રણબીર કપૂરને ભગવાન રામના રૂપમાં જોવા માટે લુક ટેસ્ટ કરી રહી છે. અહીંની મુલાકાતનો હેતુ રણબીર કપૂરને ભગવાન રામના રૂપમાં જોવાનો હતો. જે પાસ કર્યા પછી જ અભિનેતા તેના શારીરિક પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થશે.રણબીર સાથે, આલિયાની મીટિંગમાં નિતેશ તિવારી તેમજ નમિત મલ્હોત્રા, મંધુ મન્ટેના અને તેમની ટીમ પણ હાજર હોય છે.

 

સાઉથ નો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા 

જ્યારે સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે. સુપરસ્ટાર યશ આ રોલ માટે ઘણા સમયથી ચર્ચામાં છે. લાંબા સમય સુધી આ અંગે હા અને ના બોલ્યા બાદ આખરે મામલો બનતો જણાય છે. હવે આ અંગે વાતચીત ચાલી રહી છે. સૂત્રએ ઉમેર્યું, “યશને હજુ સાઈન કરવા નો બાકી છે. પરંતુ મધુને વિશ્વાસ છે કે તે આ ફિલ્મ માટે હા પાડશે. કેટલીક બાબતો પર હજુ સહમતી થવાની બાકી છે. આવું થતાં જ યશ પેપર્સ પર સહી કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને આલિયા માતા સીતાના રોલમાં જોવા મળશે. આ અંગેની સત્તાવાર જાહેરાત દિવાળીના ખાસ અવસર પર કરવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો: આદિપુરુષ ના નિર્માતા નો મોટો નિર્ણય, આ રાજ્યના આ લોકોને મફતમાં આપવામાં આવશે 10 હજાર ટિકિટ

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version