Site icon

રણબીર-આલિયા ડેસ્ટિનેશન વેડિંગ નહીં પરંતુ આ જગ્યા એ કરશે લગ્ન, નિભાવશે ઘર ની પરંપરા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલના દિવસોમાં ચર્ચામાં છે. સમાચાર અનુસાર, આ કપલ આ મહિનાના બીજા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, લગ્નને લઈને હજુ સુધી કપૂર અને ભટ્ટ પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પહેલા એવા સમાચાર હતા કે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરશે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્ન આરકે હાઉસમાં થશે, તેની તૈયારીઓનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સામે આવી રહેલા સમાચાર મુજબ રણબીર આરકે હાઉસમાં આલિયા સાથે પોતાના ઘરની પરંપરાને આગળ વધારશે. વાસ્તવમાં, ઋષિ કપૂર અને નીતુ કપૂરે 20 જાન્યુઆરી 1980ના રોજ આરકે હાઉસમાં જ સાત ફેરા લીધા હતા. 

Join Our WhatsApp Community

કપૂર પરિવાર એપ્રિલના અંતમાં રણબીર અને આલિયાના લગ્ન કરવા માંગતો હતો, પરંતુ આલિયા ભટ્ટનો પરિવાર જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે કારણ કે અભિનેત્રીના દાદા નરેન્દ્રનાથ રાઝદાનની તબિયત ખૂબ જ ખરાબ છે. રિપોર્ટ અનુસાર, કપલના નજીકના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરશે. જો કે લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.તમને જણાવી દઈએ કે રણબીર કપૂર તેના દાદા દાદી એટલે કે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની ખૂબ જ નજીક હતો. તે ચેમ્બુરના આરકે હાઉસમાં રહે છે. અને આ જ કારણ છે કે રણબીરે પણ આ ઘરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર મુજબ લગ્નમાં 450 મહેમાનો હાજરી આપશે. આટલું જ નહીં, આ લગ્નની પ્લાનિંગ સ્કવોડ વેડિંગ પ્લાનર્સને સોંપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપૂર પરિવારે તેમના તમામ મહેમાનોને લગ્નમાં સામેલ થવા માટે અન્ય કામોથી મુક્ત રહેવા માટે પણ કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :વનરાજ ના જીવન માં, અનુપમા-કાવ્યા પહેલા પણ હતી બીજી ગર્લફ્રેન્ડ, ‘અનુપમા – નમસ્તે અમેરિકા’ દ્વારા ખુલશે ઘણા રહસ્યો; જાણો વિગત

હાલમાં જ નીતુ સિંહ એક રિયાલિટી શોના શૂટિંગના સ્થળે જોવા મળી હતી. આ દરમિયાન મીડિયા ફોટોગ્રાફર્સે તેમને પૂછ્યું કે વહુ ક્યારે ઘરે આવી રહી છે. આ અંગે નીતુએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણીએ ફક્ત તેના બંને હાથ ઉભા કર્યા અને હસવા લાગી. તેમનો ઈશારો હતો કે ભગવાન ઈચ્છશે ત્યારે જ બધું થશે.બંને ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે છેલ્લા 5 વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી છે. આ સિવાય આલિયા રોકી ઔર રાનીકી  લવસ્ટોરીમાં જોવા મળશે. આ સાથે જ રણબીર શમશેરા અને એનિમલમાં જોવા મળશે.

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version