Site icon News Continuous Bureau | Mumbai

કોફી વિથ કરણ માં નહીં આવે રણબીર કપૂર-કરણ જોહરે જણાવ્યું ના પાડવાનું કારણ

 News Continuous Bureau | Mumbai

કરણ જોહર ટૂંક સમયમાં તેના શો 'કોફી વિથ કરણ'ની (Karan Johar Koffee with Karan)નવી સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે શોના પહેલા મહેમાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt and Ranbir Kapoor)હશે. પરંતુ હવે કરણ જોહરે કહ્યું છે કે રણબીર કપૂર તેના શોમાં આવવા માંગતો નથી. કરણે રણબીરના ચેટ શોનો ભાગ ન બનવાનું કારણ પણ આપ્યું છે.

Join Our WhatsApp Channel

કરણ જોહરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના શો 'કોફી વિથ કરણ' વિશે વાત કરી હતી. કરણે કહ્યું, 'રણબીર કપૂર મને પહેલેથી જ કહી ચૂક્યો છે કે હું તમારા શોમાં નથી (Ranbir kapoor not come in show)આવવાનો. કારણ કે પછી તેમને લાંબા સમય સુધી  તેની કિંમત ચૂકવવી પડશે. રણબીરે કહ્યું કે કૃપા કરીને મને તમારા શોમાં બોલાવશો નહીં. હું તને ખુબ જ પ્રેમ કરું છું શોમાં આવવાને બદલે હું તમારા ઘરે ગપસપ કરવા અને કોફી પીવા આવીશ.'અગાઉ 2017માં પણ રણબીરે ચેટ શો(Ranbir kapoor ) વિશે આવી જ વાત કરી હતી. કરણ સાથે 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મ કર્યા પછી તરત જ રણબીરે પોડકાસ્ટ માં(podcast) કહ્યું હતું કે, 'મને આ સિઝનમાં મજબૂર કરવામાં આવ્યો હતો. મેં કરણને કહ્યું કે મારે આવવું નથી. હું અને અનુષ્કા આ શોનો વિરોધ કરવા માટે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (film industry)સાથે લાવવા જઈ રહ્યા હતા કારણ કે તે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે કરણના ચેટ શોમાં સેલેબ્સ ઘણીવાર ઘણી બધી વાતો કરે છે, જેના કારણે હંગામો થાય છે.

આ સમાચાર પણ વાંચો : એક દરજી નો પુત્ર સુનિલ સિકંદરલાલ કપૂર કેવી રીતે બન્યો શક્તિ કપૂર- જાણો સ્ક્રીનના હિટ વિલન અને કોમેડિયન ની આ રસપ્રદ કહાની

રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1'નું ટ્રેલર રિલીઝ (Brahmastra trailer release)કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય મહત્વની ભૂમિકામાં છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિવાય રણબીર રશ્મિકા મંદન્ના સાથે 'એનિમલ'માં(Animal) પણ જોવા મળશે.

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version