Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh in Trouble: ‘કાંતારા’ ના પવિત્ર દ્રશ્યની નકલ મામલે રણવીર સિંહ વિરુદ્ધ FIR, બેંગલુરુમાં હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

Ranveer Singh in Trouble: ચાવુંડી દૈવા પરંપરાનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ; ગોવા IFFI દરમિયાન કરેલા અભિનય અને ટિપ્પણી બદલ કાયદાકીય સકંજામાં રણવીર.

Ranveer Singh in Trouble: FIR Filed in Bengaluru for Mocking Kantara’s Daiva Tradition and Insulting Hindu Sentiments

Ranveer Singh in Trouble: FIR Filed in Bengaluru for Mocking Kantara’s Daiva Tradition and Insulting Hindu Sentiments

News Continuous Bureau | Mumbai

Ranveer Singh in Trouble: બોલીવુડ અભિનેતા રણવીર સિંહ એક મોટી કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્ષ 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) દરમિયાન રણવીરે રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’  ના પવિત્ર દૈવા દ્રશ્યની નકલ કરી હતી. આ મામલે હવે બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેના પર હિન્દુ ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો અને કર્ણાટકની પવિત્ર પરંપરાનું અપમાન કરવાનો આરોપ છે.બેંગલુરુના વકીલ એ આ ફરિયાદ નોંધાવી છે. રણવીર સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196, 299 અને 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રણવીર સિંહે મંચ પર પંજુરલી અને ગુલિગા દૈવા સાથે જોડાયેલા પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી અને તેને અત્યંત ભદ્દી રીતે રજૂ કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો

ચાવુંડી દૈવાને ‘ભૂત’ કહેવા બદલ આક્રોશ

ફરિયાદમાં સૌથી ગંભીર આરોપ એ છે કે રણવીર સિંહે ચાવુંડી દૈવાને ‘મહિલા ભૂત’  કહીને સંબોધ્યા હતા. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાવુંડી દૈવાને રક્ષક દેવી અને દિવ્ય સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેમને ભૂત કહેવાથી સ્થાનિક લોકોની આસ્થાને ઊંડી ચોટ પહોંચી છે. વકીલ એ  આ મામલે ખાનગી ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કોર્ટે પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.


આ કેસ હવે બેંગલુરુની પ્રથમ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (CMM) કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 8 એપ્રિલના રોજ નિયત કરવામાં આવી છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો મામલો હોવાથી રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે, રણવીરના વકીલો આ મામલે કાયદાકીય રસ્તો શોધી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Akanksha Chamola શું ગૌરવ ખન્નાઆકાંક્ષા ચમોલાના નહીં થાય છૂટાછેડા? ટીઆરપી માટે પ્લાન કર્યો હોવાની ચર્ચાઓ પર અભિનેત્રીનું આવ્યું નિવેદન..
Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Exit mobile version