Site icon

રવીના ટંડન અને એમએમ કીરવાની ને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનને પદ્મશ્રીથી સન્માનિત કરી. તે જ સમયે, નાટુ-નાટુ ગીતના સંગીતકાર એમએમ કીરવાણીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

raveena tandon and mm keeravani receives the padma shri award from president droupadi murmu

રવીના ટંડન અને એમએમ કીરવાની ને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ કર્યા સન્માનિત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન અને સંગીતકાર એમએમ કીરાવાણી, ને ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં સિનેમાના બંને દિગ્ગજ કલાકારોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

રવીના ટંડને આપી પ્રતિક્રિયા  

છેલ્લા કેટલાય સમયથી પોતાના અભિનયથી સિનેમાની દુનિયામાં ધૂમ મચાવનાર અભિનેત્રી રવિના ટંડન આજે પણ લાખો લોકોના દિલની ધડકન છે. અભિનેત્રીની સમગ્ર ભારતની ફિલ્મ ‘KGF 2’ માં તેના અભિનય માટે વિવેચકો અને ચાહકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી રવિના ટંડન એકમાત્ર એવી અભિનેત્રી બની છે જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે.સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ રવીના ને આ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. રવિના ટંડને આ એવોર્ડ તેના સ્વર્ગસ્થ પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં, રવિના ટંડનએવોર્ડની જાહેરાત પર તેની પ્રતિક્રિયા શેર કરી અને કહ્યું, ‘આ એવોર્ડ મેળવવા માટે હું ખૂબ જ સન્માનિત અને આભારી છું. ખરેખર દરેકનો આભાર. એક તક… મારા માટે પુરસ્કારોનું એક વર્ષ રહ્યું છે, પરંતુ મને ખરેખર આની અપેક્ષા નહોતી. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી.’

એમ એમ કિરવાની ને મળ્યો એવોર્ડ 

ઓસ્કારથી લઈને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સુધી ‘નાટુ નાટુ’ સાથે ધૂમ મચાવનાર સંગીતકાર એમએમ કિરવાની પણ દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવવા આવ્યા હતા. કિરવાનીએ ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં 200 થી વધુ ફિલ્મો માટે ગીતો કંપોઝ કર્યા છે. તેમની પ્રતિભા અને સંગીત પ્રત્યેના જુસ્સાને કારણે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક સન્માન અને પરિચય મળ્યો છે.

તમને જણાવી દઈએ કે પદ્મશ્રી દેશના સૌથી મોટા સન્માન માંથી એક છે. આ જ સમારોહમાં સ્વર્ગીય ગાયક વાણી જયરામને મરણોત્તર પદ્મ ભૂષણ થી નવાજવામાં આવ્યા હતા. દક્ષિણની વાણીએ 18 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.

Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Dilip Kumar and Kamini Kaushal: દિલીપ કુમાર અને કામિની કૌશલની પ્રેમકથા કેમ અધૂરી રહી? જેની ગૂંજ આજે પણ કલા જગતમાં છે.
Exit mobile version