Site icon News Continuous Bureau | Mumbai

Rhea chakraborty: સુશાંત સિંહ રાજપૂત ના નિધન ના ત્રણ વર્ષ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી એ તોડ્યું મૌન, દિવંગત અભિનેતા ની આત્મહત્યા વિશે કહી આ વાત

Rhea chakraborty:બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હાલમાં રિયાલિટી શો રોડીઝમાં ગેંગ લીડર તરીકે જોવા મળે છે. અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં રિયા ચક્રવર્તીએ પોતાના જીવન વિશે ખુલીને વાત કરી છે.

rhea chakraborty broke silence after 3 years revelation about sushant singh rajput suicide

rhea chakraborty broke silence after 3 years revelation about sushant singh rajput suicide

News Continuous Bureau | Mumbai

Rhea chakraborty: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જો કોઈને સૌથી વધુ પરેશાન કરવામાં આવી હોય તો તે રિયા ચક્રવર્તી હતી. રિયા સુશાંત ની ગર્લફ્રેન્ડ હતી અને તેના પર ઘણા આરોપો લાગ્યા હતા. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી, રિયા ચક્રવર્તીને ડ્રગના કેસમાં છ અઠવાડિયા માટે ભાયખલા જેલમાં મોકલવામાં આવી હતી.હવે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આખરે રિયા ચક્રવર્તીએ પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Channel

 

 31 વર્ષ ની ઉંમરે 81 વર્ષની મહિલા જેવો અનુભવ કરતી હતી રિયા ચક્રવર્તી 

‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023’માં રાજદીપ સરદેસાઈ સાથે વાત કરતી વખતે રિયા એ કંઈક એવું કહ્યું જે સમાચારનો ભાગ છે. અભિનેત્રીએ કહ્યું, ‘અત્યારે હું મીડિયા સાથે વાત કરી રહી છું પરંતુ મને ખબર છે કે લાઈફ એક વર્તુળ છે.મારું જીવન આગળ વધી રહ્યું છે. હવે હું જે છું તે સંપૂર્ણપણે નવી છું, અગાઉ 31 વર્ષની ઉંમરે હું મારી અંદર 81 વર્ષની વૃદ્ધ મહિલા જેવો અનુભવ કરતી હતી. જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે તમે દેવદાસ બનીને આગળ વધી શકો છો. મેં ઉપચારની મદદ લીધી અને આગળ વધી.’

આ સમાચાર પણ વાંચો: Ram charan siddhivinayak temple: સાઉથ સુપરસ્ટાર રામ ચરણે લીધી સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત, શું ગણપતિ બાપ્પા ના આશીર્વાદ સાથે અભિનેતા એ પુરી કરી તેની અયપ્પા દીક્ષા?

સુશાંત ના નિધન પછી ચુડેલ નું બિરુદ મળ્યું હતું- રિયા ચક્રવર્તી 

જ્યારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યામાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિયાએ કહ્યું, ‘મને ‘ચુડેલ’ નામ આપવામાં આવ્યું હતું જે મને ગમ્યું. હું લોકોના ચહેરા વાંચી શકું છું. સુશાંતે આવું કેમ કર્યું તેની તેને કોઈ જાણ નહોતી પણ તે જાણતી હતી કે તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.વર્ષ 2020 હતું, આ તેજસ્વી અભિનેતા આપણને બધાને છોડીને ચાલ્યો ગયો. આ દરમિયાન સુશાંતની માનસિક સ્થિતિ બગડી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.’તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો હતો. આવી સ્થિતિમાં, રિયા ચક્રવર્તી પર તેના મૃત્યુ માટે ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા.

Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Tom Holland India Visit હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ ભારતની મુલાકાતે ‘ધ ઓડિસી’ માટે આવ્યા બાદ ભારતીય ચાહકોના પ્રેમ પર થયા ફિદા
Exit mobile version