News Continuous Bureau | Mumbai
Kailash Kher live show in Gwalior: ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ગ્વાલિયરના મેળા મેદાનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૈલાશ ખેર જ્યારે પોતાના સૂફી ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. લોકો સુરક્ષા ઘેરો તોડીને સ્ટેજ તરફ ધસી આવ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh quit Don 3: ‘ડોન ૩’ માંથી રણવીર સિંહ આઉટ! ‘ધુરંધર’ ના કારણે નહીં પણ આ મોટા કારણોસર અભિનેતાએ લીધો મોટો નિર્ણય
સ્ટેજ પરથી જ સિંગરે ફટકાર લગાવી
ભીડને બેકાબૂ થતી જોઈ કૈલાશ ખેર અત્યંત નારાજ થયા હતા. તેમણે માઇક પરથી જ લોકોને સંબોધતા કહ્યું, “તમે લોકો જાનવરો જેવું વર્તન કરી રહ્યા છો, જાનવરગીરી બંધ કરો.” સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા આયોજકોએ તાત્કાલિક અસરથી શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.કૈલાશ ખેર પોતાના પાવરફુલ લાઈવ પરફોર્મન્સ માટે જાણીતા છે. ‘તેરી દીવાની’, ‘બમ લહેરી’ અને ‘સઈયાં’ જેવા હિટ ગીતોના ચાહકો આખા દેશમાં છે. ગ્વાલિયરની આ ઘટના બાદ હવે કૈલાશ ખેરનો આગામી શો ૨૭ ડિસેમ્બરે ગુજરાતના વડોદરા શહેરમાં યોજાવાનો છે.
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ગ્વાલિયર પ્રશાસન દ્વારા દર વર્ષે આવા મોટા આયોજનો કરવામાં આવે છે. આ વખતે કૈલાશ ખેર મુખ્ય આકર્ષણ હતા, પરંતુ પ્રેક્ષકોના અભદ્ર અને બેજવાબદાર વર્તનને કારણે એક સુંદર સાંજનો કરુણ અંત આવ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
