Site icon

ફરી બગડી સામંથા રૂથ પ્રભુની તબિયત! ફિલ્મના પ્રમોશન દરમિયાન જતો રહ્યો અભિનેત્રી નો અવાજ, સ્વાસ્થ્ય ને લઇ ને આપ્યું મોટું અપડેટ

સામંથા રૂથ પ્રભુની ફિલ્મ 'શાકુન્તલમ' 14 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે. આ પહેલા તે સતત તેનું પ્રમોશન કરી રહી છે. પરંતુ તેની અસર અભિનેત્રીના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તેણે ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે.

samantha ruth prabhu health issues amid shaakuntalam promotions samantha lost voice

ફરી બગડી સામંથા રૂથ પ્રભુની તબિયત! ફિલ્મના પ્રમોશન દરમિયાન જતો રહ્યો અભિનેત્રી નો અવાજ, સ્વાસ્થ્ય ને લઇ ને આપ્યું મોટું અપડેટ

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી, સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘શાકુન્તલમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના મતે આ ફિલ્મના સતત પ્રમોશનથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. આના કારણે તેણીએ માત્ર પોતાનો અવાજ જ ગુમાવ્યો નથી, પરંતુ તે ખૂબ જ તાવનો પણ સામનો કરી રહી છે. 35 વર્ષીય અભિનેત્રીએ ટ્વિટર પર તેની હેલ્થ અપડેટ શેર કરી હતી.

Join Our WhatsApp Community

 

સામંથા એ શેર કરી હેલ્થ અપડેટ 

સામંથા એ તેના ટ્વિટમાં લખ્યું, “હું આ અઠવાડિયે મારી ફિલ્મનું પ્રમોશન કરવા અને તમારા બધાના પ્રેમમાં પડવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ કમનસીબે વ્યસ્ત શેડ્યૂલ અને પ્રમોશનને કારણે મારા પર અસર પડી છે. મને તાવ આવી ગયો છે અને મેં મારો અવાજ ગુમાવી દીધો છે. ” સામંથા એ થ્રેડમાં આગળ લખ્યું, “કૃપા કરીને MLRITની વાર્ષિક ઇવેન્ટ માટે શાકુન્તલમ ટીમમાં જોડાઓ. તમને મિસ કરીશ.” સામંથા એ તેની સાથે રેડ હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું હતું.સામંથા ની પોસ્ટ સામે આવતાં જ તેના ચાહકોએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું.

14 એપ્રિલે સમગ્ર ભારતમાં રિલીઝ થશે ‘શાકુન્તલમ’

‘શાકુન્તલમ’ વિશે વાત કરીએ તો, તે તેલુગુ ભાષાની ફિલ્મ છે, જે પાન ઈન્ડિયા તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ગુણશેખરે કર્યું છે. સમંથા ઉપરાંત દેવ મોહન, મોહન બાબુ, અદિતિ બાલન, કબીર બેદી, પ્રકાશ રાજ, મધુ, સચિન ખેડેકર અને ગૌતમી જેવા સ્ટાર્સ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થશે.

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version