Site icon News Continuous Bureau | Mumbai

સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં એક -બે નહીં, પણ હશે આટલી અભિનેત્રીઓ, આ અભિનેત્રી પણ ભજવશે એક નાનકડી ભૂમિકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

 

તાજેતરમાં દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમના બહુપ્રતીક્ષિત આગામી પ્રોજેક્ટ ‘હીરામંડી’ની જાહેરાત કરી હતી. આ વેબ સિરીઝ લાહોરના સૌથી મોટા અને પ્રખ્યાત રેડ લાઇટ એરિયા હીરામંડી પર આધારિત છે અને સંજય લીલા ભણસાલી તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે સિરીઝની જાહેરાત કરતી વખતે સંજયે કાસ્ટ વિશે કોઈ જાહેરાત કરી ન હતી. હવે મીડિયા અહેવાલો અનુસાર આ બહુપ્રતીક્ષિત શ્રેણીમાં એક કે બે નહીં 18 અભિનેત્રીઓ હશે. અગાઉ માધુરી અને રેખા શ્રેણીમાં જોડાવાના અહેવાલો હતા, પરંતુ બાદમાં શ્રેણી સાથે સંકળાયેલા એક સૂત્રે તેને માત્ર અફવા ગણાવી હતી.

હવે એક નવો રિપૉર્ટ દાવો કરી રહ્યો છે કે સંજયની બહુપ્રતીક્ષિત વેબ સિરીઝમાં કુલ 18 અભિનેત્રીઓ હશે. એમાં જુહી ચાવલા, સોનાક્ષી સિન્હા, મનીષા કોઇરાલા, નિમરત કૌર, ડાયના પેન્ટી અને સંજીદા શેખ સહિત ઘણાં મોટાં નામ સામેલ છે. મીડિયા રિપૉર્ટ મુજબ આ વેબ સિરીઝમાં કુલ 18 અભિનેત્રીઓ હશે. જુહી ચાવલા ટૂંક સમયમાં જ સેટ પર કાસ્ટ સાથે જોડાશે. જુહી આ શ્રેણીના આઠમા એપિસોડમાં કેમિયો રોલ કરતી જોવા મળશે. આ સંદર્ભે જુહી સંજય લીલા ભણસાલીને મળી હતી. જુહી ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરશે.

કંગના રાણાવતની ફિલ્મ 'થલાઇવી'ને સેન્સર બોર્ડે આપ્યું 'U' સર્ટિફિકેટ, આ તારીખે થશે રિલીઝ; જાણો વિગત

અગાઉ એવા સમાચાર પણ હતા કે સંજય લીલા ભણસાલી આ શોનું નિર્દેશન નહીં કરે, પરંતુ હવે આવતા અહેવાલો મુજબ ભણસાલી પોતે જ શ્રેણીના પહેલા અને છેલ્લા એપિસોડનું નિર્દેશન કરશે. એ જ સમયે, બાકીના એપિસોડના નિર્દેશનની જવાબદારી વિભુ પુરી અને મિતાક્ષરા કુમારને આપવામાં આવી છે. આ વેબ સિરીઝનો ફર્સ્ટ લુક શૅર કરતાં સંજય લીલા ભણસાલી પ્રોડક્શને લખ્યું : એક અદ્ભુત અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version