News Continuous Bureau | Mumbai
Madhubala Biopic| બોલિવૂડની દિગ્ગજ અને સદાબહાર અભિનેત્રી મધુબાલાના જીવન પર ફિલ્મ બનવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. ભૂતકાળમાં કિયારા અડવાણી, શરવરી વાઘ અને અનીત પડ્ડા જેવી અનેક અભિનેત્રીઓના નામ આ ભૂમિકા માટે ચર્ચાયા હતા. પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા, ‘ધુરંધર’ ફેમ અભિનેત્રી સારા અર્જુનનું નામ આ મહત્વાકાંક્ષી બાયોપિક માટે કન્ફર્મ કરવામાં આવ્યું છે.
સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ બાયોપિકમાં પ્રખ્યાત ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી એક પ્રોડ્યુસર તરીકે જોડાયા છે. આ ફિલ્મનું નિર્દેશન જસમીત કે. રીન કરશે, જેમણે આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ્સ’ (2022) ફિલ્મથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. બજેટના કારણે આ પ્રોજેક્ટ થોડા સમય માટે અટકી પડ્યો હતો, પરંતુ હવે તે ફરી પાટા પર આવી ગયો છે. ફિલ્મનું પ્રોડક્શન જુલાઈ 2026 થી શરૂ થવાની શક્યતા છે.
તૈયારીઓમાં વ્યસ્ત છે સારા અર્જુન
સારા અર્જુને મધુબાલાના પાત્રમાં ઢળવા માટે પોતાના લુકમાં જરૂરી ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. મધુબાલા જેવા ક્લાસિક લુક માટે અભિનેત્રીએ તૈયારીઓ પણ આરંભી દીધી છે. હાલમાં ફિલ્મ માટે અન્ય મહત્વના પાત્રો જેવા કે દિલીપ કુમાર અને કિશોર કુમારની ભૂમિકાઓ માટે કાસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
થિયેટરને બદલે OTT પર રિલીઝ?
આ ફિલ્મ અંગેની સૌથી મોટી ચર્ચા એ છે કે તેને સિનેમાઘરોને બદલે સીધા ડિજિટલ પ્લેટફોર્મ (OTT) પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે, મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સમાચારથી મધુબાલાના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકો હવે જોવાનું પસંદ કરશે કે સારા અર્જુન આ આઈકોનિક પાત્રને કેવી રીતે જીવંત કરે છે.
👉 આ સમાચાર વાચો:
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
