Site icon

અભિનેતા શાહનવાઝ પ્રધાનનું હાર્ટ એટેકથી થયું નિધન, ‘મિર્ઝાપુર’માં ભજવી હતી ‘ગુડ્ડુ ભૈયા’ના સસરાની ભૂમિકા

પ્રખ્યાત અભિનેતા શાહનવાઝ પ્રધાનનું નિધન થયું છે. હૃદયરોગનો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે શાહનવાઝ પ્રધાન મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાના સસરા તરીકે પ્રખ્યાત થયા હતા. આ વેબ સિરીઝમાં તેણે શ્વેતા (ગોલુ) અને શ્રિયા પિલગાંવકર (સ્વીટી)ના પિતા પરશુરામ ગુપ્તાની ભૂમિકા ભજવી હતી.

shahnawaz pradhan death was a part of mirzapur

અભિનેતા શાહનવાઝ પ્રધાનનું હાર્ટ એટેકથી થયું નિધન, 'મિર્ઝાપુર'માં ભજવી હતી 'ગુડ્ડુ ભૈયા'ના સસરાની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરમાં ‘ગુડ્ડુ ભૈયા’ એટલે કે અલી ફઝલના સસરાની ભૂમિકા ભજવનાર અભિનેતા શાહનવાઝ પ્રધાનનું શુક્રવારે અવસાન થયું છે. હૃદયરોગનો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.શાહનવાઝ પ્રધાન 56 વર્ષના હતા અને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં તેમણે પીડાની ફરિયાદ કરી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેના કો-સ્ટાર રાજેશ તૈલાંગે સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે પ્રતિમા કાઝમી જેવા અન્ય ઘણા કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી.

Join Our WhatsApp Community

80ના દાયકામાં કરિયરની શરૂઆત કરી હતી

શાહનવાઝ પણ 80ના દાયકામાં લોકપ્રિય થયા હતા, જ્યારે તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દૂરદર્શનના શો શ્રી કૃષ્ણમાં નંદની ભૂમિકા ભજવી હતી. આ પછી તેઓઅલિફ લૈલામાં પણ જોવામાં આવ્યા હતા. તેમની કારકિર્દીમાં, તેમને અન્ય ઘણા ટીવી શો અને ફિલ્મો કરી. તાજેતરમાં, મિર્ઝાપુર 1 અને 2 સાથે, તેણે વેબ સ્પેસમાં રઈસ અને ખુદા હાફિઝ, ફેમિલી મેન જેવા શોમાં પણ કામ કર્યું હતું.હાલમાં જ તેમની નવી ફિલ્મ મિડ ​​ડે મીલ રિલીઝ થઈ હતી. શાહનવાઝ ટૂંક સમયમાં મિર્ઝાપુર 3 માં પણ જોવા મળશે અને તેમણે તાજેતરમાં તેનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

 

 

Jaya Bachchan Birthday: જ્યારે જયા બચ્ચન સ્ટાર હતા ત્યારે અમિતાભ કરી રહ્યા હતા સંઘર્ષ: માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી મચાવી હતી ધૂમ
Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર સંકટના વાદળો: કોપીરાઇટ એક્ટ હેઠળ મેકર્સ સામે ગુનો દાખલ, બોલિવૂડમાં મચ્યો હોબાળો
Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Exit mobile version