Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan:શાહરુખ ખાન ની વિનમ્રતા એ ફરી જીત્યા લોકો ના દિલ, 26/11 ના હુમલામાં શહીદ થયેલા પરિવારજનો સાથે કર્યું આવું વર્તન

Shahrukh khan:ગઈકાલે મુંબઈ પર આતંકવાદી હુમલો થયા ને 15 વર્ષ થઇ ગયા હતા. આ નિમિત્તે અમૃતા ફડણવીસે દિવ્યજ ફાઉન્ડેશન હેઠળ 26/11ના નાયકોને શ્રદ્ધાંજલિ આપતા ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે વૈશ્વિક શાંતિ સન્માનનું આયોજન કર્યું હતું.જેમાં શાહરુખ ખાન પણ પહોંચ્યો હતો. તેની વિનમ્રતા એ સૌના દિલ જીતી લીધા હતા

shahrukh khan attends event honouring unsung heroes of 26 11

shahrukh khan attends event honouring unsung heroes of 26 11

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: 26 નવેમ્બર 2008 એ મુંબઈ માટે સૌથી ગોઝારો દિવસ હતો. આ દિવસે મુંબઈ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે આ હુમલા ને 15 વર્ષ થઇ ગયા છે તેમ છતાં લોકો ના મન માંથી આ દિવસ ભુલાયો નથી.આ દુઃખદ દિવસે, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, લોકો મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે આ કડી માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે.

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાને આપી શહીદો ને શ્રદ્ધાંજલિ 

ગઈકાલે મુંબઈ પર આતંકી હુમલો થયા ને 15 વર્ષ વીતી ગયા હતા.મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ નિમિત્તે, અમૃતા ફડણવીસે દિવ્યજ ફાઉન્ડેશન હેઠળ 26/11ના નાયકોને શ્રદ્ધાંજલિ આપતા ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે વૈશ્વિક શાંતિ સન્માનનું આયોજન કર્યું હતું. આ અવસર પર શાહરૂખ ખાનની સાથે અન્ય ઘણા સેલેબ્સ પણ હાજર હતા. ઈવેન્ટમાં શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દદ્લાની સાથે પહોંચ્યો હતો. પહેલા તો શાહરુખ ખાન શહીદોના પરિવારજનોને મળ્યોઅને પછી તેમને આદરપૂર્વક પ્રણામ પણ કર્યા. હવે આ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


શાહરુખ ખાન ની આ વિનમ્રતા જોઈ ચાહકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી શાહરૂખ ખાન ઉપરાંત શરદ કેલકર, મનીષા કોઈરાલા અને ટાઈગર શ્રોફ હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ  Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version