Site icon News Continuous Bureau | Mumbai

 Shahrukh Khan : શાહરુખ ખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને કહી હતી ‘ના’, આ હતું કારણ

શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે, જેનો પ્રીવ્યૂ રિલીઝ થઈ ગયો છે. કિંગ ખાને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે તેને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં કામ કરવાની ઑફર મળી હતી.

shahrukh khan rejected sanjay leela bhansali padmaavat due to this reason

shahrukh khan rejected sanjay leela bhansali padmaavat due to this reason

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan : બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ પહેલા સંજય લીલા ભણસાલીએ શાહરૂખ ખાનને ફિલ્મ ‘પદ્માવત’માં ખિલજીનો રોલ ઑફર કર્યો હતો. શાહરૂખ ખાને પણ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવા માટે સંમતિ આપી હતી. પરંતુ, પછી કંઈક એવું બન્યું જેના કારણે શાહરૂખ ખાને ફિલ્મ કરવાની ના પાડી દીધી.

Join Our WhatsApp Channel

શાહરુખ ખાને ‘પદ્માવત’માં કામ કરવાની પાડી હતી ના

અહેવાલો અનુસાર, અભિનેતા પટકથા સાંભળ્યા પછી ફિલ્મમાં અભિનય કરવા માટે રાજી થઈ ગયો હતો. જો કે, તેને એક સમસ્યા હતી. શાહરૂખે સંજય લીલા ભણસાલીને શીર્ષકમાં સુધારો કરવાની ભલામણ કરી કારણ કે શાહરુખ નું માનવું હતું કે તેના ચાહકો તેને મહિલા લીડના નામની ફિલ્મમાં જોવા માંગતા નથી. પરંતુ આનાથી સંજય મુશ્કેલીમાં આવી ગયો કારણ કે દીપિકાએ તેને ચેતવણી આપી હતી કે જો ટાઇટલ બદલાશે તો તે ફિલ્મ છોડી દેશે.શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કોઈ પાત્ર કે ફિલ્મનું નામ નહોતું આપ્યું પરંતુ ઈશારો કર્યો હતો તેણે કહ્યું હતું કે, “હું અત્યારે જે સ્થિતિમાં છું, મારે મારી સ્ક્રિપ્ટ ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરવી પડશે. મને લાગે છે કે મારી પાસે વિલનને પણ આકર્ષક બનાવવાની ક્ષમતા છે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે મને આંધળી રીતે અનુસરે છે. આવી સ્થિતિમાં, હું વિલન બની શકતો નથી અને ખોટા કામો કે ખરાબ વ્યક્તિ બતાવી શકતો નથી.તેથી મેં કેટલીક ફિલ્મો રિજેક્ટ કરી”

આ સમાચાર પણ વાંચો: Manipur : મણિપુર હિંસા પર રોષે ભરાયું આખું બોલિવૂડ, અક્ષય કુમારથી લઈને અનેક હસ્તીઓ એ વ્યક્ત કરી નારાજગી

પદ્માવત નું બોક્સ ઓફિસ કલેક્શન

પદ્માવતએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહને તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. શાહિદ કપૂરે રાજપૂત રાજા રતન સિંહની ભૂમિકા ભજવી હતી.

 

Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન
Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા
KSBKBT 2| પોતાનાથી ૮ વર્ષ મોટા એક્ટરની મા બની પરખ મદન? ઉંમરના તફાવત પર તોડી ચુપકીદી, ટ્રોલ્સને આપ્યો આવો જવાબ
Ramanand Sagar’s Iconic Show| રામાયણમહાભારત નહીં, પણ રામાનંદ સાગરનો આ શો હતો ‘માસ્ટરપીસ’! જાણો 8.3 રેટિંગ ધરાવતા તે શો વિશે જેણે રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version