Site icon News Continuous Bureau | Mumbai

Shatrughan Sinha  શત્રુઘ્ન સિન્હાના સંઘર્ષને યાદ કરીને ભાવુક થયો પુત્ર લવ સિન્હા, કહ્યું- પૈસા બચાવવા માટે કરતા હતા આ કામ

જ્યારે શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે પટનામાં પોતાનું ઘર છોડ્યું, ત્યારે તેમને ઘણીવાર ડર અને આશંકા રહેતી કે તેઓ અભિનેતા તરીકે સફળ થશે કે નહીં.

Shatrughan Sinha son luv sinha opens about father struggling days

Shatrughan Sinha son luv sinha opens about father struggling days

News Continuous Bureau | Mumbai 

Shatrughan Sinha  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ બોલિવૂડમાં લાંબો સમય વિતાવ્યો છે. તે પોતાના દમદાર અભિનય અને ડાયલોગ ડિલિવરીથી દરેકનો ફેવરિટ કલાકાર રહ્યો છે. એક સમયે શત્રુઘ્ન સિંહા સૌથી સફળ અભિનેતાઓમાંના એક હતા. તેણે પોતાના બોલિવૂડ કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે, સફળતાની સાથે સાથે તેમના જીવનમાં સંઘર્ષ પણ ઓછો નથી રહ્યો. અભિનેતાના પુત્ર લવ સિન્હાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પિતા શત્રુઘ્ન સિંહાના સંઘર્ષના દિવસોની વાર્તા કહી છે.70 અને 80ના દાયકામાં સિનેમા હોલ પર રાજ કરનાર શત્રુઘ્ન સિન્હાએ પણ પોતાના કરિયરમાં મુશ્કેલ દિવસોનો સામનો કર્યો છે. આ ખુલાસો હાલમાં જ તેમના પુત્ર લવ સિંહાએ કર્યો છે. લવ સિન્હા ટૂંક સમયમાં સની દેઓલની ફિલ્મ ગદર 2માં જોવા મળશે. ફિલ્મ પ્રમોશનની વચ્ચે લવ સિંહાએ સુપરસ્ટાર પિતા સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી છે.

Join Our WhatsApp Channel

લવ સિન્હા એ શેર કર્યો પિતા શત્રુઘ્ન સિન્હા નો સંઘર્ષ નો કિસ્સો

આ સમાચાર પણ વાંચો : The Elephant Whispers : ઓસ્કાર વિજેતા ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ના મેકર્સ પર બોમન અને બેલી એ લગાવ્યો આ આરોપ, નિર્મતા વિશે કહી આ વાત

તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન લવે કહ્યું કે તે જે પણ કઈ શીખ્યો છે તે તેના પિતા પાસેથી શીખ્યો છે. લવે કહ્યું કે ‘મારા પિતાએ સ્ટારડમ અને નિષ્ફળતા બંનેનો સામનો કર્યો છે. તેણે ઘરમાં તેના પિતાના સંઘર્ષની વાર્તાઓ સાંભળી છે. “ઘણી વખત બસ ભાડા માટે પૈસા બચાવવા માટે તેમને ભૂખ્યા રહેવું પડતું હતું. કારણ કે કાં તો તેઓ તે પૈસાથી ખોરાક ખાઈ શકતા હતા અથવા તે પૈસાથી મુસાફરી કરી શકતા હતા. ક્યારેક ક્યારેક તેઓ ખાવું ખાતા તો તેમને માઇલો ચાલીને જવું પડતું કારણ કે તેમની પાસે ભાડાના પૈસા ન હતા. આ વાત કહેતા લવ ભાવુક થઈ ગયો અને કહ્યું કે મારા પિતાએ પણ આ દિવસો જોયા છે.’ લવે વધુ માં કહ્યું કે શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે પટનામાં પોતાનું ઘર છોડી દીધું હતું, તેમને ઘણીવાર ડર અને આશંકા રહેતી હતી કે તે એક અભિનેતા તરીકે સફળ થશે કે નહીં. લુવે કહ્યું કે પિતાના પરિવારને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તેઓ પોતે પણ નિષ્ફળ થયા પછી ક્યારેય પાછા ફરવા માંગતા ન હતા. લવે કહ્યું કે જ્યારે તેના પિતા સુપરસ્ટાર હતા ત્યારે તેનું ઘર ફેન્સ અને લોકોથી ભરેલું હતું, પરંતુ જ્યારે તેની ફિલ્મો ફ્લોપ થવા લાગી તો લોકોએ તેને મળવાનું બંધ કરી દીધું.’

 

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version