Site icon News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shehzada Dhami| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો વિવાદ ફરી ગરમાયો! શહેઝાદા ધામીનો મોટો ખુલાસો

Yeh Rishta Kya Kehlata Hai Shehzada Dhami| પોતાની ઉપર થયેલી ટિપ્પણીઓ અને સવાલો પર અભિનેતાની ભડાશ; કહ્યું "હવે મારી પાસે અવાજ છે અને આ માત્ર અવાજ નહીં, સત્ય હશે."

Yeh Rishta Kya Kehlata Hai Shehzada Dhami|  ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો વિવાદ ફરી ગરમાયો! શહેઝાદા ધામીનો મોટો ખુલાસો

Yeh Rishta Kya Kehlata Hai Shehzada Dhami| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો વિવાદ ફરી ગરમાયો! શહેઝાદા ધામીનો મોટો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Yeh Rishta Kya Kehlata Hai Shehzada Dhami| ટીવીના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ‘અરમાન’નું પાત્ર ભજવનાર શહેઝાદા ધામી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. શોમાંથી અચાનક બહાર થયાના બે વર્ષ પછી, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાનું મૌન તોડ્યું છે. તેણે પોતાના વિશે ફેલાતી નકારાત્મકતા અને અફવાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

મૌન તોડવાનો નિર્ણય

શહેઝાદા ધામીએ પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે, “બે વર્ષ થઈ ગયા છે. આ બે વર્ષ મારા મૌનના હતા, જ્યારે બીજા લોકોએ મારા વિશે ઘણું બધું કહ્યું. કોઈએ મારી પરવરિશ (ઉછેર) પર સવાલ ઉઠાવ્યા, તો કોઈએ મારા બેકગ્રાઉન્ડ વિશે વાતો કરી. જે લોકોએ મારી સાથે કામ પણ નથી કર્યું, તેમની પાસે પણ મારા માટે ઘણી વાતો હતી.” શહેઝાદાએ સ્પષ્ટ કર્યું છે કે તે અત્યાર સુધી એટલે ચૂપ હતો કારણ કે તેને લાગતું હતું કે સમય સાચું સત્ય બતાવશે, પરંતુ હવે તે બોલવાનો સમય આવી ગયો છે.

શું ઈશારો રાજન શાહી તરફ છે?

યાદ રહે કે, ૨૦૨૪માં જ્યારે શહેઝાદા ધામીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારે નિર્માતા રાજન શાહી દ્વારા તેના પર સેટ પર ગેરવર્તણૂક કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, શહેઝાદાની આ પોસ્ટમાં તેણે કોઈનું નામ લીધા વગર ચેતવણી આપી છે કે, “કોઈ પણ ખોટી વસ્તુ સાથે મારું નામ જોડતા પહેલા હજાર વાર વિચારજો.” આ પોસ્ટને ઘણા લોકો રાજન શાહી તરફ ઈશારો ગણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પછી શહેઝાદા ‘બિગ બોસ ૧૮’ માં પણ જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં પણ તે લાંબો સમય ટકી શક્યો નહોતો. તાજેતરમાં તે પ્રતિક્ષા હોનમુખેને અનફોલો કરવાને કારણે પણ સમાચારોમાં હતો. હવે પોતાની આ પોસ્ટ દ્વારા શહેઝાદાએ ફરી એકવાર ટીવી ઈન્ડસ્ટ્રીના વિવાદોને તાજા કર્યા છે. ચાહકો હવે એ જાણવા આતુર છે કે શું તે જલ્દી જ કોઈ મોટો ખુલાસો કરવાનો છે કે પછી આ માત્ર ગુસ્સો ઠાલવવાનો પ્રયાસ છે.

👉 આ સમાચાર વાચો:
Rihanna Controversy| રિહાનાની નવી મુસીબત ગૌસેવા અને ચામડાની બેગના ફોટા પર સોશિયલ મીડિયા પર આક્રોશ

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version