Site icon News Continuous Bureau | Mumbai

આ કારણે અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન તેના સાસરિયાં અને પતિ નિખિલ નંદા સાથે નથી રહેતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

અમિતાભ અને જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાનું જીવન હંમેશા રહસ્યમય રહ્યું છે. શ્વેતા બચ્ચન નંદા, જે હંમેશા શોબિઝની લાઇમલાઇટથી દૂર રહે છે, તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ડિઝાઇનર મોનિષા જયસિંહ સાથે મળીને તેનું ફેશન લેબલ MXS લોન્ચ કર્યું.પરંતુ લોકો હવે એ રહસ્ય ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે શ્વેતા મુંબઈમાં તેના માતા-પિતા સાથે રહે છે અને તેના સાસરિયાં અને પતિ નિખિલ નંદા સાથે કેમ નથી રહેતી?

શ્વેતા બચ્ચન ચોક્કસપણે તેના સાસરિયાં અને પતિથી દૂર રહે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા છે અથવા તેમની સાથે કોઈ સમસ્યા છે.વાસ્તવમાં, શ્વેતા અને તેના પતિ નિખિલ નંદા અલગ-અલગ પ્રોફેશનથી આવે છે, જેના કારણે બંનેને અલગ રહેવું પડે છે. એટલું જ નહીં, નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. તો  શ્વેતા નંદા લેખિકા, ફેશન ડિઝાઇનર અને મોડલ છે.

શ્વેતા હંમેશાથી આત્મનિર્ભર બનવા માંગતી હતી. તેથી તે તેના પતિના પૈસા પર નિર્ભર નથી. તેની પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમ છતાં તે કામ કરે છે અને પોતાના પૈસાથી પોતાના બાળકોનું ધ્યાન રાખે છે.શ્વેતાના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, શ્વેતાએ 21 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને પોતાના જીવનને ખુશ કરવા માટે તેણે બધું જ છોડી દીધું હતું.પરંતુ લગ્નના દસ વર્ષ પછી તેણે પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું. જેના માટે તેને દિલ્હીથી મુંબઈ શિફ્ટ થવું પડ્યું હતું.તેના માતા-પિતા પણ મુંબઈમાં રહે છે. અને એક જ  શહેરમાં હોવાથી, શ્વેતા દરેક નાના-મોટા પ્રસંગે જલસામાં હાજરી આપે છે. એટલે કે શ્વેતા બચ્ચને તેના પતિ સાથે છૂટાછેડા લીધા નથી. તે તેના પતિ અને તેના સાસરિયાઓ સાથે અત્યંત ખુશ છે.

પ્રિયંકા ચોપરાએ જોનાસ સરનેમ હટાવવા અને છૂટાછેડા પર કર્યો ખુલાસો, કહી આ વાત; જાણો વિગત

આટલું જ નહીં, તે તેના માતા-પિતા અને સાસરિયાઓ સાથે સારા સંબંધ જાળવી રાખે છે. શ્વેતાના કહેવા પ્રમાણે, ભારતીય સમાજમાં એવી ઈમેજ છે કે જ્યારે કોઈ છોકરો તેના માતા-પિતાના ઘરે આવે છે ત્યારે તેને નમ્ર માનવામાં આવે છે.જ્યારે કોઈ છોકરી તેના માતા-પિતાના ઘરે જવાનું શરૂ કરે છે, ત્યારે લોકો વિચારે છે કે તેના લગ્ન તૂટી ગયા છે, જેના કારણે તે તેના માતાપિતા સાથે રહેવા માટે પાછી આવી ગઈ છે.

Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Tigmanshu Dhulia Slams Dhurandhar દેશભક્તિના નામે જૂની ફોર્મ્યુલા? ફિલ્મ ‘ધુરંધર’ના કન્ટેન્ટ સામે તિગ્માંશુ ધુલિયાની તીખી પ્રતિક્રિયા, સ્ટોરીલાઇનની વિશ્વસનીયતા પર ચર્ચા
Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Exit mobile version