Site icon News Continuous Bureau | Mumbai

શેરશાહ કપલ જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં -જાણો કયા દિવસે અને ક્યાં વાગશે શહનાઈ

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક છે. તેમના લિંકઅપના સમાચારને કારણે ઘણી વાર તેઓ હેડલાઇન્સમાં રહે છે. જયારે ફિલ્મ 'શેર શાહ'ના શૂટિંગમાં નજીક આવેલા આ સ્ટાર્સે લાંબા સમય સુધી મીડિયા અને ફેન્સની નજરથી પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે  થોડા સમય પહેલા 'કોફી વિથ કરણ'માં બંનેએ પોતપોતાના દિલમાં છુપાયેલા સપનાને શેર કર્યા હતા. બંનેના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ છે અને તેઓ સિદ્ધાર્થ અને કિયારાને વહેલી તકે લગ્ન કરતા જોવા માંગે છે. જે ચાહકો આ ઈચ્છે છે તેમના માટે અમારી પાસે આવા સારા સમાચાર છે.

Join Our WhatsApp Channel

વાસ્તવમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે એટલે કે 2023માં લગ્ન કરવાના છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આવતા વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીમાં એકબીજા સાથે લગ્ન કરશે. આ સ્ટાર કપલે પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, સિદ્ધાર્થ અને કિયારાના નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'કિયારા અને સિદ્ધાર્થ આવતા વર્ષે લગ્ન કરશે. સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં હોવાથી લગ્ન પણ ત્યાં જ થશે. બંને પહેલા લગ્નની નોંધણી કરશે અને પછી તેઓ કોકટેલ પાર્ટી કરશે. આ પછી કિયારા અને અડવાણીનું ભવ્ય રિસેપ્શન પણ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : અરરર… ફીલ્મ છેલ્લો શો ઓસ્કરમાં રિલીઝ થાય તે પહલેજ તેના બાળ કલાકારનું મૃત્યું. હવે જ્યારે તેનું તેરમું હશે તે દિવસે ફિલ્મ રીલીઝ થશે.

રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'સિદ્ધાર્થ અને કિયારા એકબીજાથી ખૂબ જ ખુશ છે. બંનેના લગ્ન માટે બોલિવૂડમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવશે નહીં કારણ કે લગ્ન દિલ્હીમાં સિદ્ધાર્થ-કિયારાના પરિવાર અને સંબંધીઓ સાથે થશે. આ પહેલીવાર નથી કે જ્યારે તેમના લગ્નની અફવાઓ હેડલાઇન્સ ના  બની હોય, આ પહેલા પણ ઘણી વખત આવી ખબર ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે બી-ટાઉનમાંથી આવી રહેલા આ સમાચાર કેટલા સાચા હશે. બંનેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જ્યારે કિયારા અડવાણી હાલમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version