Site icon

સિદ્ધાર્થ-કિયારા બાદ સ્મૃતિ ઈરાનીની દીકરી રાજસ્થાનના 500 વર્ષ જુના આ કિલ્લામાં લેશે સાત ફેરા

રાજસ્થાનની ધરતી ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ લગ્નની સાક્ષી બનશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ ઈરાનીના આજે નાગૌર કિલ્લામાં લગ્ન થશે. સ્મૃતિ ઈરાની ની પુત્રીના લગ્ન કેનેડામાં રહેતા અર્જુન ભલ્લા સાથે થશે.

smriti irani daughter shanelle marriage ready to tie knot in khimsar fort rajasthan

સિદ્ધાર્થ-કિયારા બાદ સ્મૃતિ ઈરાનીની દીકરી રાજસ્થાનના 500 વર્ષ જુના આ કિલ્લામાં લેશે સાત ફેરા

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની આજે દેશના કેન્દ્રીય મંત્રી છે. સ્મૃતિ ઈરાનીની મોટી દીકરી શેનેલ  ઈરાની  ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. જોધપુરમાં શનીલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં, શનૈલ ઈરાનીના લગ્નની ઉજવણી જોધપુરમાં 7 થી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. લગ્ન સમારોહને ખાસ બનાવવા માટે સ્મૃતિ ઈરાનીએ ખિંવસર કિલ્લો બુક કરાવ્યો છે.સ્મૃતિની પુત્રી શેનેલ વર્ષ 2021માં અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી હતી. જોધપુર નાગૌર ની મધ્યમાં આવેલા ખિવંસર કિલ્લામાં અર્જુને શેનેલ ને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના લગ્નને યાદગાર બનાવવા માટે બંને હવે આ કિલ્લામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

ખાનગી હશે સ્મૃતિ ઈરાની ની દીકરી ના લગ્ન 

ખિંવસર કિલ્લાના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેમાનોની યાદી કિલ્લાના મેનેજમેન્ટને પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ ના લગ્ન સમારોહ માટે માત્ર 50 સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં ફક્ત તેનો પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રોનો સમાવેશ થાય છે. સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલના લગ્ન સમારોહ ની શરૂઆત બુધવારે મહેંદી અને હલ્દીની વિધિથી થઈ હતી. જેનું સમાપન રાત્રિભોજન અને નૃત્ય કાર્યક્રમ સાથે થયું હતું.ખિંવસર કિલ્લાના એક અધિકારીએ જણાવ્યું કે લગ્ન સમારોહને લઈને કિલ્લામાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે મહેમાનના અનુભવને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

 

ખિંવસરનો કિલ્લો 500 વર્ષ જૂનો છે

ખિંવસર કિલ્લો ખૂબ જ ખાસ અને સુંદર છે. તે રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીવનસર ગામમાં આવેલો છે. આ કિલ્લો લગભગ 500 વર્ષ જૂનો છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો 1523માં રાવ કરમસજીએ બનાવ્યો હતો. રાવ કરમસજી જોધપુરના રાવ જોધાના આઠમા પુત્ર હતા. ખિંવસર કિલ્લાની એક તરફ રણ, બીજી બાજુ તળાવથી ઘેરાયેલું છે. લોકો અવારનવાર અહીં ડેઝર્ટ સફારી કરે છે.ખિંવસર કિલ્લામાં 71 રૂમ અને સ્યુટ છે. તેમજ રેસ્ટોરાં અને કાફે પણ છે. કિલ્લામાં મહેમાનોના રહેવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, સ્વિમિંગ પૂલ અને સ્પા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ છે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version