Site icon

Yeh rishta kya kehlata hai : ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો નવો પ્રોમો જોઈ ગુસ્સે થયા ચાહકો, સોશિયલ મીડિયા યુઝર્સે મેકર્સ સામે કરી આ માંગ

Yeh rishta kya kehlata hai :હાલમાં જ ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, જેમાં અક્ષરા-અભિમન્યુના લગ્નની વિધિ બતાવવામાં આવી રહી છે. અને તે દરમિયાન ડોક્ટર નો ફોન આવે છે કે અક્ષરા અભિનવ ના બાળક ની માતા બનવાની છે.

social media users not happy with yeh rishta kya kehlata hai new promo they demand to shut down the show to makers

social media users not happy with yeh rishta kya kehlata hai new promo they demand to shut down the show to makers

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai : હાલમાં જ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ પ્રોમો જોયા બાદ લોકો મેકર્સ પર ગુસ્સે થયાછે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવનારો ટ્વિસ્ટ દર્શકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના પ્રોમોમાં જોઈ શકાય છે કે અક્ષરા-અભિમન્યુના લગ્નની વિધિ બતાવવામાં આવી રહી છે. તે અભિનવને ભૂલીને તેના પુત્ર અભીર ની ખુશી માટે અભિમન્યુ સાથે લગ્ન કરવા જઈ રહી છે.. આ દરમિયાન અક્ષરાને એક એવા સમાચાર મળે છે, જેને સાંભળીને તે ન તો ખુશ થઈ શકે કે ન તો રડી શકે.

Join Our WhatsApp Community

 

 ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો પ્રોમો 

સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હર્ષદ ચોપરા અને  પ્રણાલી રાઠોડ લીડ રોલમાં છે. જે સિરિયલ માં અભિમન્યુ અને અક્ષરા નું પાત્ર ભજવી રહ્યા છે.ચાહકો ને તે બન્ને ની જોડી ખુબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની જોડી ને ‘અભીરા’ નામ આપવામાં આવ્યું છે. ટીઆરપી લિસ્ટ માં સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સારું સ્થાન જાળવી રહી છે. હવે વાર્તામાં નવો વળાંક આવવાનો છે. આ પ્રોમોમાં જોવા મળશે કે અક્ષરા અભિમન્યુ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. અભીર અને અક્ષરા અભિમન્યુ નો પરિવાર ફરી એકસાથે ખુશ દેખાય છે, પરંતુ આ શોમાં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. આ પ્રોમો જોઈને તમારા હોશ ઉડી જશે, પરંતુ જેમણે તેનો પ્રોમો વીડિયો જોયો છે. તે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મેકર્સ પર નારાજ છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો પ્રોમો જોઈ ચાહકો થયા નારાજ 

 ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના નવા પ્રોમો માં અક્ષરા અભિમન્યુ ની મહેંદી સેરેમની બતાવવામાં આવી છે. અને  મહેંદી સેરેમની દરમિયાન અક્ષરા પર ડોક્ટર નો ફોન આવે છે અને તે અક્ષરા ને કહે છે કે તે માતા બનવાની છે. , દર્શકો  આ ટ્વિસ્ટ જોઈ ને મેકર્સ પર ગુસ્સે થતા જોવા મળે છે.. તેઓ કહે છે કે તે આઠ મહિના પછી અભિમન્યુ અને અક્ષરાનું પુનઃમિલન જોવા જઈ રહ્યો હતો, પરંતુ નિર્માતાઓએ આ ટ્વિસ્ટને કારણે બધું બરબાદ કરી દીધું. એક યુઝરે લખ્યું, ‘થોડી નીતિ રાખો. શું તમે ટીઆરપી માટે કંઈપણ બતાવવાનું શરૂ કરશો? ત્રીજા યુઝરે લખ્યું, ‘પરંતુ અભિનવના નિધનને ઘણો સમય થઈ ગયો છે. કોઈ આટલું મોડું કેવી રીતે ગર્ભવતી થઈ શકે? અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે હું આ શોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દઉં.’ 

આ  સમાચાર પણ વાંચો : shahrukh khan lalbaugcha raja: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો શાહરુખ ખાન, જવાન હિટ જતા લીધા મુંબઈ ના લાલબાગચા રાજા ના આશીર્વાદ, જુઓ વિડિયો

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version