Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા….’ શોમાં થશે નવી એન્ટ્રી, આ ગ્લૅમરસ અભિનેત્રીને જોઈ દર્શકો ભૂલી જશે દયાબહેનને; જાણો કોણ છે તે અભિનેત્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો છેલ્લા ઘણા સમયથી દયાબહેનની રાહ જોઈ રહ્યા છે. કૉમેડી શોમાં દયાબહેનની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શોથી બહાર છે, પરંતુ હજી પણ તેના પરત આવવાની અટકળો ચાલી રહી છે. એ જ સમયે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓએ શોમાં ગ્લૅમરસ તડકો ઉમેરવાનું નક્કી કર્યું છે.

 

શોના નિર્માતા અસિતકુમાર મોદી હવે શોમાં નવીનતા લાવવા માટે નવી એન્ટ્રી પર વિચાર કરી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શોના નિર્માતા અસિત મોદીએ શોમાં મસાલા કન્ટેન્ટ વધારવા માટે આ પગલું ભર્યું છે. આ માટે તે શોમાં નવા કિરદારની એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. રિપૉર્ટ મુજબ 'પરમાવતાર શ્રીકૃષ્ણ'થી ઓળખ મેળવનારી અભિનેત્રી સોની પટેલ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં એન્ટ્રી કરવાની છે. 

 

સમાચારો અનુસાર આ નવી અભિનેત્રીની એન્ટ્રી થતાં જ આ શોમાં એક રોમાંચક ટ્વિસ્ટ પણ આવવા જઈ રહ્યો છે. આમ જોઈએ તો તારક મહેતા…શોમાં સોની પટેલની એન્ટ્રી દર્શકોને પાક્કું નવું મસાલેદાર મનોરંજન કરશે.

 શું ખરેખર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અભિનેતા નટુકાકા પાસે હવે કામ નથી?  જાણો શું છે સચ્ચાઈ

આ નવા પાત્ર વિશે વાત કરવામાં આવે તો, હાલ આગામી એપિસોડના તાણાવાણા કાળાબજારીને લઈને તૈયાર થઈ રહ્યા છે. એવામાં આસિત મોદી શોમાં નવી અભિનેત્રી લાવવાના છે. એવું બની શકે કે આ અભિનેત્રી પોપટલાલની પત્ની બનીને એન્ટ્રી લે. એ પણ બની શકે કે તે કોઈ વેપારી બનીને સામે આવે.

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version