Site icon

પત્ની માના ને મેળવવા સુનીલ શેટ્ટીએ તોડી ધર્મની દીવાલ, 9 વર્ષથી પ્રેમની વિરુદ્ધ હતો પરિવાર

સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે, પરંતુ આજે આપણે અભિનેતાની પોતાની લવ લાઇફ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે તેણે માના ને પહેલીવાર જોઈ હતી. તેણે આ પ્રેમની વાર્તાને ખૂબ જ ફિલ્મી રીતે આગળ ચલાવી અને અંતે ધર્મની દીવાલ તોડી નાખી.

sunil shetty mana shetty love story

પત્ની માના ને મેળવવા સુનીલ શેટ્ટીએ તોડી ધર્મની દીવાલ, 9 વર્ષથી પ્રેમની વિરુદ્ધ હતો પરિવાર

News Continuous Bureau | Mumbai

 સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીએ ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલે સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત આલીશાન ફાર્મહાઉસમાં લગ્ન કર્યા છે. અથિયાના લગ્નના અવસર પર અમે સુનીલ શેટ્ટીના લગ્નની સ્ટોરી લઈને આવ્યા છીએ, જે કોઈ રોમેન્ટિક ફિલ્મની સ્ટોરી થી ઓછી નથી.

Join Our WhatsApp Community

માના શેટ્ટી મુસ્લિમ પરિવારમાંથી છે

માના શેટ્ટી નો જન્મ ગુજરાતી-મુસ્લિમ પરિવારમાં થયો હતો. માના ના પિતાનું નામ ઈફ્તિખાર એમ. કાદરી હતું, જેઓ વ્યવસાયે આર્કિટેક્ટ હતા. જોકે, એવું કહેવાય છે કે બંનેના પરિવારજનોને ડર હતો કે અલગ-અલગ ધર્મના કારણે લગ્ન ન ચાલે અને આ જ કારણ હતું કે તેમના પરિવારને મનાવવામાં 1-2 વર્ષ નહીં પરંતુ લગભગ 9 વર્ષનો સમય લાગ્યો હતો.કહેવાય છે કે સુનીલ શેટ્ટી માના ને જોઈને તેના પ્રેમમાં પડી ગયો હતો. ચર્ચા એવી છે કે સુનીલ શેટ્ટીએ માના ને પહેલીવાર મુંબઈ ના નેપિયન સી રોડ પરની પેસ્ટ્રી ની દુકાનમાં જોઈ હતી, જ્યાં અભિનેતા ઘણીવાર તેના મિત્રોને મળવા જતો હતો. માનાને પહેલી નજરે જોઈને સુનીલે તેનું દિલ તેને આપી દીધું હતું. સુનીલ શેટ્ટીએ સૌથી પહેલા માના બહેન સાથે મિત્રતા કરી હતી. 

લગ્નની વચ્ચે ઊભી હતી ધર્મની દીવાલ 

એવું પણ કહેવાય છે કે એક પાર્ટી પછી સુનીલ શેટ્ટી તેને બાઇક રાઈડ પર લઈ ગયો હતો. તેઓ સમજી ગયા કે તેઓ એકબીજા માટે બનાવવામાં આવ્યા છે. ધીમે-ધીમે તેમનો સંબંધ ગાઢ થતો ગયો અને આખરે વાત લગ્ન સુધી પહોંચી. બંને પરિવારો વચ્ચે ધર્મનો સંઘર્ષ થયો અને તેઓએ આ સંબંધને ફગાવી દીધો. જો કે, આ દરમિયાન પણ બંનેએ તેમને આ લગ્ન માટે સંમતિ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમની પાસે ભાગીને લગ્ન કરવાનો વિકલ્પ પણ હતો, પરંતુ તેમને તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને તેમને નુકસાન પહોંચાડે તેવું કંઈક કરવા માંગતા ન હતા. સમય જતાં, બંનેની બોન્ડિંગ જોઈને પરિવારના સભ્યો બંનેની સામે ઘૂંટણિયે પડ્યા. સુનીલ અને માના લગભગ 9 વર્ષના લાંબા અફેર પછી 25 ડિસેમ્બર 1991 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. ત્યારથી માના અને સુનીલ આજ સુધી સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંને એ પોતાની પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફ જેટલી જ કિંમત આપી. સુનીલ અને માના બોલિવૂડના ખુશ કપલ માંથી એક ગણાય છે.

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version