Site icon News Continuous Bureau | Mumbai

બચ્ચન પરિવારથી કેમ નારાજ છે સની દેઓલ, ક્યારેય સાથે કામ ના કરવા ને લઇ ને કહી આ વાત

સની દેઓલે અમિતાભ બચ્ચન સાથે એક મોટી ફિલ્મમાં કામ કર્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું, તો પછી એવું શું થયું કે સની દેઓલે બચ્ચન પરિવાર થી અંતર બનાવી લીધું

sunny deol never wants to work with amitabh bachchan and his family

બચ્ચન પરિવારથી કેમ નારાજ છે સની દેઓલ, ક્યારેય સાથે કામ ના કરવા ને લઇ ને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

સની દેઓલ અને અમિતાભ બચ્ચન બંને પોતપોતાના સમયના સુપરસ્ટાર રહ્યા છે. એટલું જ નહીં બંનેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હેડલાઈન્સ બનાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંને દિગ્ગજ સ્ટાર્સે સાથે માત્ર એક જ ફિલ્મ કરી છે. તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં તમને જણાવી દઈએ કે આની પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સની દેઓલ છે. એવું પણ કહેવાય છે કે સની માત્ર અમિતાભથી જ નહીં પરંતુ સમગ્ર બચ્ચન પરિવારથી પણ અંતર જાળવવાનું પસંદ કરે છે.

Join Our WhatsApp Channel

 

સની દેઓલે લીધો અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ના કરવાનો નિર્ણય   

સની દેઓલ વર્ષોથી બચ્ચન પરિવારથી અંતર બનાવી રહ્યો છે. વાસ્તવમાં તમને જણાવી દઈએ કે સનીની ‘ઈન્સાનિયત’ ફિલ્મ 1994માં આવી હતી અને પહેલીવાર અમિતાભ અને સની બંનેએ સાથે કામ કર્યું હતું. પરંતુ આ પહેલી અને છેલ્લી વખત સાથે કામ કર્યું હતું. વાસ્તવમાં તેની પાછળ શૂટિંગ દરમિયાન આવી જ કેટલીક ગેરસમજણો થઈ હતી.એવું પણ કહેવામાં આવ્યું હતું એક સમય એવો હતો જ્યારે સની દેઓલ અને અમિતાભ બચ્ચન બંને ખૂબ જ નજીક હતા. કારણ કે અમિતાભ અને ધર્મેન્દ્ર ખૂબ જ ગાઢ મિત્રો હતા. પરંતુ ફિલ્મ ‘ઇન્સાનિયત’ સમયે બંને વચ્ચે ઘણું અંતર થયું. કેટલાક અહેવાલો અનુસાર, સની આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો, પછી જ્યારે ફિલ્મનું પોસ્ટર આવ્યું, ત્યારે તેને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો અને અમિતાભને ફ્રન્ટ ફૂટ પર મૂકવામાં આવ્યા. અમિતાભનો રોલ પણ ખૂબ જ નાનો હતો, તેથી તેને પણ પાછળથી મોટો કરવામાં આવ્યો અને એવું પણ કહેવાય છે કે આ કારણે સની દેઓલ ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે અમિતાભ સાથે ફરી ક્યારેય કામ નહીં કરવાનો નિર્ણય લીધો.

 

 બચ્ચન પરિવાર થી નારાજ છે સની દેઓલ 

એટલું જ નહીં, સની દેઓલે  માત્ર અમિતાભ બચ્ચન સાથે જ નહીં પરંતુ અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કામ કર્યું નથી. જેપી દત્તાએ સનીને ‘બોર્ડર’ પછી બીજી તેને ફિલ્મ માટે વચન આપ્યું હતું. પરંતુ બાદમાં જ્યારે અભિષેકને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો ત્યારે સનીએ આ ફિલ્મ વિશે ના પાડી દીધી. ઐશ્વર્યાએ સની સાથે ‘ઇન્ડિયન’ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. આ કારણે અભિનેતા ખૂબ ગુસ્સે થયો હતો અને એક ઈન્ટરવ્યુ દરમિયાન સનીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે જો સલમાન, રિતિક કે શાહરૂખ જેવા સ્ટાર્સ ફિલ્મમાં કામ કરતા હોત તો ઐશ્વર્યાએ આ ફિલ્મ કરવાની હા પાડી હોત.

આ સમાચાર પણ વાંચો: ઐશ્વર્યા ને છોડી અભિષેક બચ્ચને બોલિવૂડ ની આ ડાન્સ દિવા સાથે ‘કજરારે’ ગીત પર લગાવ્યા ઠુમકા, વિડીયો થયો વાયરલ

Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Exit mobile version