Site icon News Continuous Bureau | Mumbai

શ્વેતા તિવારી બાદ હવે ટીવી ની આ અભિનેત્રીએ પતિ અને સાસરિયાઓ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ-પતિ થી લેશે છૂટાછેડા

News Continuous Bureau | Mumbai

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ‘શગુન’ અને ‘એક રિશ્તા સાજહેદારી કા’ સહિત ટીવી સિરિયલોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સુરભી તિવારી(Surbhi Tiwari divorce) તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે. તેણીએ પતિ પ્રવીણ કુમાર (Pravin Kumar)અને સાસરિયાઓ સામે ઉત્પીડન અને ધમકીઓના આરોપો લગાવ્યા છે. સુરભીએ આ લોકો વિરુદ્ધ પોલીસમાં FIR પણ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે સુરભીએ 3 વર્ષ પહેલા 2019માં વ્યવસાયે પાઈલટ(pilot) અને બિઝનેસમેન (businessman) પ્રવીણ સાથે 39 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી તરત જ તેના પતિ સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા. તાજેતરમાં, એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે, સુરભીએ સાસરિયાઓ પર ઘરેલુ હિંસાનો આરોપ(domestic abuse) લગાવ્યો હતો.

Join Our WhatsApp Channel

સુરભી તિવારીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું – તે પતિ અને સાસરિયાઓના(inlaws) ત્રાસથી કંટાળી ગઈ છે. તેણે કહ્યું- ‘લગ્નના થોડા સમય બાદ જ તેને લાગવા લાગ્યું કે તે અને પ્રવીણ સુસંગત નથી. લગ્ન બાદ પ્રવીણ મારી સાથે મુંબઈ(Mumbai) આવવા તૈયાર થયો હતો પરંતુ બાદમાં તેણે આમ કરવાની ના પાડી દીધી હતી. હું લગ્ન પછી પણ ટીવી સિરિયલોમાં કામ કરવા માંગતી હતી પરંતુ તે થઈ શક્યું નહીં. પોતાની આર્થિક સ્થિતિ (financial position)વિશે વાત કરતાં તેણે કહ્યું- કામ ન કરવાને કારણે મારી આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી અને મારે પૈસા માટે પ્રવીણ પર નિર્ભર રહેવું પડ્યું. તેણે એ પણ જણાવ્યું કે તે એક પરિવાર શરૂ કરવા માંગતી હતી પરંતુ તેનો પતિ તેના માટે તૈયાર નહોતો.’

આ સમાચાર પણ વાંચો : આમિર ખાને પહેલીવાર સંભળાવી પોતાના પહેલા પ્રેમ અને દિલ તૂટવાની કહાની- રીના કે કિરણ નહીં કોઈ બીજી જ હતી તે છોકરી

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુરભી તિવારીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં(Versova police station) તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ FIR નોંધાવી હતી. તેણી એ  લગ્ન દરમિયાન મળેલા તમામ દાગીના(jewellery) પાછા આપવાની માંગ કરી છે. તેણે કહ્યું કે તેને લાગ્યું કે તેની સાથે ઘણી વસ્તુઓમાં છેતરપિંડી થઈ છે. તેમ છતાં તેઓ શાંતિથી છૂટાછેડા લેવા માગે છે, પરંતુ પ્રવીણ તેને છૂટાછેડા (divorce)આપવા તૈયાર નથી. અને આ પછી જ તેણે કાનૂની માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. તે ટૂંક સમયમાં છૂટાછેડાનો કેસ દાખલ કરશે.

Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Exit mobile version