Site icon

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને અમેરિકાની ભેટ, સુપરસ્ટારનો જન્મદિવસ આ ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવશે; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માત્ર અભિનયમાં જ રસ નહોતો, પરંતુ વિજ્ઞાનમાં રસ ધરાવતો હતો. અભિનેતા સુશાંત સિંહ, વિજ્ઞાનની ઘણી બધી બાબતોથી વાકેફ હતો. તેને વિજ્ઞાનને લગતી માહિતી મેળવવી પણ ગમતી હતી. આવી સ્થિતિમાં, હવે તેના ચાહકો ખૂબ જ ખુશ થવાના છે કારણ કે અમેરિકન લુનર સોસાયટીએ ૨૧ જાન્યુઆરીએ સુશાંતના જન્મદિવસને ‘સુશાંત મૂન ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ અમેરિકાની લુનાર સોસાયટી ઇન્ટરનેશનલ, હવે તેનો જન્મદિવસ ‘સુશાંત મૂન’ તરીકે ઉજવવાનો નિર્ણય લેતા, સોશિયલ મીડિયા પર તેના સત્તાવાર પેજ પરથી આ માહિતી શેર કરી અને લખ્યું કે લુનાર સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ઉજવવામાં આવી રહેલ આ ઇવેન્ટ ખૂબ જ ખાસ છે. તેને આશા છે કે ‘સુશાંત મૂન’ એક ઐતિહાસિક અને વાર્ષિક ઈવેન્ટ બની જશે,આ જન્મજયંતિ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ઉજવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

સ્વાભાવિક રીતે, સુશાંતના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ હશે કારણ કે સુશાંત માટે આનાથી મોટી ગિફ્ટ કંઈ હોઈ શકે નહીં. ફિલ્મ ‘ચંદા મામા દૂર કે’માં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો, આ ફિલ્મ સ્પેસ પર આધારિત હતી. આ પ્રોજેક્ટને કારણે તે અમેરિકા પણ ગયો હતો અને આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને અવકાશ સાથે સંબંધિત માહિતી મેળવવી અને તે વિષય પર વાત કરવાનું પસંદ હતું. દરરોજ તે સોશિયલ મીડિયા પર અવકાશની તસવીરો પોસ્ટ કરતો હતો અને તેનો પ્રેમ એવો હતો કે તેણે ચંદ્ર પર જમીન પણ લીધી હતી. આવું કરનાર તે એકમાત્ર સ્ટાર હતો. આજે, અલબત્ત, તે બધાની વચ્ચે નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું સન્માન કરવામાં આવે છે. 

૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ, બોલિવૂડનો ઉભરતો સ્ટાર સુશાંત સિંહ ગળે ફાંસો ખાધો હતો. જે બાદ દેશભરમાં હોબાળો થયો હતો. તેના આ પગલાએ તેના ચાહકો અને પરિવારને હચમચાવી દીધા હતા.તેમનું મૃત્યુ આજે પણ લોકો માટે એક કોયડો છે. આ મામલામાં ઘણા લોકો ઘેરામાં આવ્યા અને ઘણી ધરપકડ કરવામાં આવી, પરંતુ હજુ સુધી તેના મોતનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી થયું. આ અંગે સીબીઆઈ તપાસ હજુ ચાલુ છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version