Site icon

અભિનેત્રી રિયાને જેલમાંથી છુટકારો નહીં, વિશેષ એનડીપીએસ કોર્ટે 6 ઓક્ટોબર સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020 

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ અભિનેત્રી રિયા ચક્રવર્તીને 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. ખાસ એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. રિયાની 14 દિવસની ન્યાયિક કસ્ટડી મંગળવારે સમાપ્ત થઈ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની ડ્રગ્સ એંગલથી તપાસ કરતા રિયાની 8 સપ્ટેમ્બરના રોજ નોર્ટોક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો રિયા ચક્રવર્તી દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષની કેદની સજા થઈ શકે છે. દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હોઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેની આવતીકાલે 23 સપ્ટેમ્બરે સુનાવણી થશે.  

બોલિવૂડ અભિનેતાના મોતને સોર્ટ કરવા એનસીબી ડ્રગ્સ કેસની તપાસમાં સામેલ છે. પૂછપરછ દરમિયાન એનસીબીએ અનેક મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. તેથી જ એનસીબીએ અત્યાર સુધીમાં રિયા, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા સહિત મુંબઇ અને ગોવાથી ડ્રગના ઘણાં વેપારીઓની ધરપકડ કરી છે. એનસીબી ઉપરાંત સીબીઆઈ અને ઇડી પણ આ કેસની તપાસ કરી રહ્યા છે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version